આર્મીના 30 જવાનો મુશ્કેલીમાં ફસાયા, હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
supreme court


Case will be filed against 30 Armymen in Nagaland: સોમવારે નાગાલેન્ડ સરકારે સુપ્રીમ કોર્ટમાં એક રિટ અરજી દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના નિર્ણયને પડકાર્યો હતો, જેના હેઠળ સેનાના 30 જવાનો સામે કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નાગાલેન્ડ પોલીસે આ સૈનિકો વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓને રોકવાના ઓપરેશન દરમિયાન 13 નાગરિકોની હત્યા કરવા બદલ FIR નોંધી છે.

રાજ્યના એડવોકેટ જનરલે કરી રજૂઆત 

અરજી દાખલ કરતી વખતે રાજ્યના એડવોકેટ જનરલ જે.બી.પારડીવાલાએ કહ્યું હતું કે પોલીસ પાસે મહત્વના પુરાવા છે, જે આ સૈનિકો સામેના આરોપોને સાબિત કરી શકે છે. કેન્દ્ર સરકાર, મનસ્વી રીતે કામ કરીને, તેમની સામે કાર્યવાહી કરવામાં અને મૃતકોને ન્યાય મેળવવામાં રોકી રહી છે.

નાગાલેન્ડ સરકારનો આ મામલે અસંતોષ 

આ બાબતે નાગાલેન્ડ સરકારે કહ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી તપાસ માટે આવેલી ટીમ દ્વારા ન તો વિશેષ તપાસ ટીમ (રાજ્ય પોલીસ) દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પર ધ્યાન આપ્યું અને ન તો યોગ્ય રીતે તપાસ કરી. તેણે પોતાનો રિપોર્ટ મનસ્વી રીતે તૈયાર કર્યો અને આ સૈન્યના જવાનો સામે કાર્યવાહી ન કરવા આદેશો જારી કર્યા હતો.

અરજીના જવાબમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને સંરક્ષણ મંત્રાલયને 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા નોટિસ ફટકારી છે.

શું હતો મામલો?

વર્ષ 2021માં નાગાલેન્ડમાં આર્મીના જવાનો દ્વારા ભૂલથી થયેલા હુમલાના કેસમાં એક અધિકારી સહિત 30 સેનાના જવાનોને આરોપી બનાવવામાં આવ્યા છે. એસઆઈટીની તપાસ દર્શાવે છે કે સૈનિકોએ હુમલા દરમિયાન નિર્ધારિત એસઓપીનું પાલન કર્યું ન હતું, જેના કારણે રાત્રે પીકઅપ ટ્રકમાં ઘરે પરત ફરી રહેલા 14 નાગરિકોના મોત થયા હતા. જેના કારણે ઘણો વિવાદ અને હંગામો થયો હતો.

રાજ્ય સરકારે કહ્યું કે સેનાએ કોલસાની ખાણના કામદારોને લઈ જતી કાર પર કોઈપણ પૂછપરછ કર્યા વગર ગોળીબાર કર્યો હતો. જેમાં કુલ 6 લોકોના મોત થયા હતા. સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ તમામ લોકો બંદૂકોથી સજ્જ હતા અને કાળા કપડા પહેરેલા હતા, અમને જોતા જ તેઓ ઝડપથી કારમાંથી કૂદી પડ્યા હતા. આ ઘટના બાદ નજીકના ગ્રામીણો અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં 7 નાગરિકો અને એક સૈનિક માર્યા ગયા હતા.

રાજ્ય સરકારનું કહેવું છે કે સેનાના જવાનોને આ વિસ્તારની જાણ નથી અને અહીં બંદૂકો લઈને ફરવું સામાન્ય બાબત છે. રાજ્ય પોલીસની વિશેષ ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવેલા તમામ પુરાવા કેન્દ્રને મોકલવામાં આવ્યા હતા.

વર્ષ 2022માં સુપ્રીમ કોર્ટે આ સૈનિકો પર કાર્યવાહી પર રોક લગાવી હતી 

જુલાઈ 2022માં આ સૈનિકોની પત્નીઓ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હોવાથી સુપ્રીમ કોર્ટે આ સૈનિકો પર કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. તેણે એફઆઈઆર રદ કરવાની પણ માંગ કરી હતી, ત્યારબાદ નાગાલેન્ડ સરકારે કેન્દ્ર પાસેથી મંજૂરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેન્દ્રએ ગયા વર્ષે 28 ફેબ્રુઆરીએ મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. સોમવારે નાગાલેન્ડ સરકારે સુપ્રીમ કોર્ટમાં એક રિટ અરજી દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના નિર્ણયને પડકાર્યો હતો. 

આ પણ વાંચો: કુદરતી સંપત્તિના ખજાના નિકોબારમાં 20 લાખ વૃક્ષો કપાશે, નીતિ પંચની વિનાશકારી નીતિ

આર્મીના 30 જવાનો મુશ્કેલીમાં ફસાયા, હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી 2 - image



Google NewsGoogle News