Get The App

અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ હરિયાણામાં FIR, યમુનામાં 'ઝેર' ભેળવવાનું આપ્યું હતું નિવેદન

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ હરિયાણામાં FIR, યમુનામાં 'ઝેર' ભેળવવાનું આપ્યું હતું નિવેદન 1 - image


Yamuna Water Row: દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા AAPના વડા અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ હરિયાણામાં FIR દાખલ કરાઈ છે. આ કેસ શાહબાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, કેજરીવાલે હરિયાણા પર યમુનાના પાણીમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવ્યો હતો.

એડવોકેટ જગમોહન મનચંદા નામના વ્યક્તિએ આ FIR નોંધાવી છે. જગમોહન મનચંદાએ કેજરીવાલના નિવેદનને પક્ષપાતી રાજકારણ તેમના વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ કેજરીવાલ વિરુદ્ધ BNS ની કલમ 192, 196(1), 197(1), 248(a), 299 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બાથટબ અને સ્ટાઇલિશ શાવર... લોકસભામાં વડાપ્રધાન મોદીના કેજરીવાલ પર પ્રહાર

યમુના અંગે આપ્યું હતું નિવેદન

તમને જણાવી દઈએ કે, 27 જાન્યુઆરીએ એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હરિયાણા દ્વારા દિલ્હીને આપવામાં આવતા પાણીની ગુણવત્તા નબળી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, 'લોકોને પાણીથી વંચિત રાખવાથી મોટું કોઈ પાપ નથી. ભાજપ પોતાના ગંદા રાજકારણથી દિલ્હીના લોકોને તરસ્યા રાખવા માંગે છે. તેઓ હરિયાણાથી મોકલવામાં આવી રહેલા પાણીમાં ઝેર ભેળવી રહ્યા છે.'

કેજરીવાલે વધુમાં કહ્યું, 'આ પ્રદૂષિત પાણી એટલું ઝેરી છે કે તેને દિલ્હીમાં હાજર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મદદથી ટ્રીટ કરી શકાતું નથી. ભાજપ દિલ્હીના રહેવાસીઓની સામૂહિક હત્યા કરવા માંગે છે. પણ અમે આવું નહીં થવા દઈએ.'

ચૂંટણી પંચે કર્યા હતા સવાલો

આ નિવેદન બાદ ચૂંટણી પંચે કેજરીવાલને સવાલો પૂછ્યા હતા અને જવાબો માંગ્યા હતા. જે બાદ કેજરીવાલે તેને જાહેર હિતમાં કરવામાં આવેલી ટિપ્પણી ગણાવી હતી. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલી નોટિસના જવાબમાં તેમણે આ વાત કહી. કેજરીવાલે ECI નોટિસનો 14 પાનાનો જવાબ આપ્યો હતો. આપના રાષ્ટ્રીય કન્વીનરે જણાવ્યું હતું કે, આ ટિપ્પણી દિલ્હીમાં પીવાના પાણીની બગડતી ગુણવત્તા સાથે સંબંધિત તાત્કાલિક અને ચિંતાજનક જાહેર આરોગ્ય સંકટના સંદર્ભમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો: EVMની મદદથી 10 ટકા વોટની ગરબડ થવાની છે: દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો

કેજરીવાલે કહ્યું કે, 'દિલ્હી હરિયાણાથી આવતા કાચા પાણીના પુરવઠા પર નિર્ભર છે. પાણીની નબળી ગુણવત્તા અંગેના નિવેદનો હરિયાણાથી મળતા કાચા પાણીમાં દૂષણ અને ગંભીર ઝેરીતા પર પ્રકાશ પાડવા માટે આપવામાં આવ્યા હતા.'


Google NewsGoogle News