પંજાબ સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે બિલ પેન્ડિંગ રાખવા મુદ્દે કડક ટિપ્પણી કરી રાજ્યપાલને આપ્યો આદેશ

રાજ્યપાલ પર બિલને મંજૂરી ન આપવાનો આરોપ લગાવતી પંજાબ સરકારની અરજી પર સુપ્રીમનો મહત્વનો ચુકાદો

સુપ્રીમ કોર્ટનો પંજાબના રાજ્યપાલને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલ પર ઝડપથી નિર્ણય લેવાનો નિર્દેશ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
પંજાબ સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે બિલ પેન્ડિંગ રાખવા મુદ્દે કડક ટિપ્પણી કરી રાજ્યપાલને આપ્યો આદેશ 1 - image

નવી દિલ્હી, તા.24 નવેમ્બર-2023, શુક્રવાર

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ (Chief Justice DY Chandrachud), જસ્ટિસ જેબી પારડીવાલા (Justice JB Pardiwala) અને જસ્ટિસ મનોજ મિશ્રા (Justice Manoj Mishra)ની બેંચે કહ્યું કે રાજ્યપાલ દ્વારા બિલોને પેન્ડિંગ રાખવા એ સંસદીય પ્રણાલીમાં બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહત્વની ટિપ્પણી કરતા કહ્યું છે કે રાજ્યપાલ બિલોને અનિશ્ચિત સમય સુધી તેમની પાસે પેન્ડિંગ રાખી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યપાલ પાસે બંધારણીય સત્તા છે પરંતુ તેઓ આ સત્તાનો ઉપયોગ રાજ્ય સરકારની કાયદા ઘડતરની સત્તાને ખતમ કરવા માટે કરી શકતા નથી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે કહ્યું કે રાજ્યપાલ દ્વારા બિલોને પેન્ડિંગ રાખવા એ સંસદીય પ્રણાલીમાં બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

પંજાબ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય

તમને જણાવી દઈએ કે પંજાબ સરકારે (Punjab Government) રાજ્યપાલ પર બિલને મંજૂરી ન આપવાનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જ્યારે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે કહ્યું હતું કે જૂન મહિનામાં બોલાવાયેલું સત્ર ગેરબંધારણીય છે, તેથી તે સત્રમાં થયેલી કામગીરી પણ ગેરબંધારણીય છે. સરકારની દલીલ છે કે બજેટ સત્ર મુલતવી રાખવામાં આવ્યું નથી, તેથી સરકાર જ્યારે ઇચ્છે ત્યારે ફરીથી સત્ર બોલાવી શકે છે. પંજાબ સરકારની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે 10 નવેમ્બરના રોજ આપેલા પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, ‘અલબત્ત, રાજ્યપાલ બંધારણના અનુચ્છેદ 200 હેઠળ બિલને રોકી શકે છે, પરંતુ આ કરવાનો યોગ્ય રસ્તો એ છે કે તેઓ પુનર્વિચાર કરી શકે. ફરીથી બિલ વિધાનસભામાં મોકલો.

ફેડરલિઝમ અને લોકશાહી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંઘવાદ અને લોકશાહી મૂળભૂત માળખાનો ભાગ છે અને બંનેને અલગ કરી શકાય નહીં. એક તત્વ નબળું પડશે તો બીજું પણ જોખમમાં આવશે. નાગરિકોની આકાંક્ષાઓ અને મૂળભૂત સ્વતંત્રતાઓને વાસ્તવિક બનાવવા માટે બંનેએ સંકલનમાં રહીને કામ કરવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત (Banwarilal Purohit)ને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલ પર ઝડપથી નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ કોર્ટે પંજાબ સરકારના જૂન વિધાનસભા સત્રને બંધારણીય ગણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આપેલા આ આદેશને ગુરુવારે કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News