મુખ્યમંત્રીની ધરપકડ કયા નિયમો હેઠળ થઈ શકે? શું કેજરીવાલ જેલથી સરકાર ચલાવી શકશે? જાણો કાયદો શું કહે છે

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
મુખ્યમંત્રીની ધરપકડ કયા નિયમો હેઠળ થઈ શકે? શું કેજરીવાલ જેલથી સરકાર ચલાવી શકશે? જાણો કાયદો શું કહે છે 1 - image


Chief Minister Arresting Rules: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. જેમાં (ED)ની ટીમ દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. તપાસ એજન્સીના અધિકારીઓએ પહેલા તેમના ઘરની તપાસ કરી અને પછી કેજરીવાલની પૂછપરછ કરી હતી. જો કે સામાન્ય માણસની જેમ મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવતી નથી. આ માટે બંધારણમાં અલગ નિયમ-કાયદાઓ છે. જાણીએ કે મુખ્યમંત્રીની ધરપકડ માટેના નિયમો શું છે.

શું મુખ્યમંત્રીની ધરપકડ કરવી સરળ છે?

ભારતીય બંધારણના અનુચ્છેદ 361 અનુસાર દેશના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ જ્યાં સુધી પદ પર છે ત્યાં સુધી તેની ધરપકડ કે અટકાયત કે તેની સામે કોઈ આદેશ જારી કરી શકાય નહીં. તેમને સિવિલ અને ફોજદારી બંને કેસોમાં છૂટ મળે છે. જો કે, મુખ્યમંત્રી કે વડા પ્રધાન વગેરેને આ છૂટ ફક્ત સિવિલ બાબતોમાં જ હોય ​​છે. સીએમની ધરપકડને લઈને સિવિલ પ્રોસિજર કોડમાં અલગ નિયમો છે. ફોજદારી કેસમાં સંસદ, વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્યની ધરપકડ થઈ શકે છે. જો કે, આ માહિતી સ્પીકર અથવા અધ્યક્ષને આપવી જરૂરી છે.

સિવિલ પ્રોસિજર કોડ હેઠળ થઇ શકે છે ધરપકડ

સિવિલ પ્રોસિજર સંહિતા 135 હેઠળ, કોઈપણ મુખ્યમંત્રી અથવા વિધાન પરિષદના સભ્યની ધરપકડ કરી શકાતી નથી. જો કે, આ મુક્તિ માત્ર કાયદાકીય બાબતોમાં છે. આવી સ્થિતિમાં, જો કોઈપણ મુખ્યમંત્રી અથવા વિધાનસભાના સભ્ય વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ફોજદારી કેસ નોંધવામાં આવે છે, તો તેને સિવિલ પ્રોસિજર કોડ હેઠળ ઇમ્યુનિટી મળતી નથી અને તેની ધરપકડ થઈ શકે છે. કાયદા મુજબ જો કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરવી હોય તો પહેલા ગૃહના અધ્યક્ષની મંજૂરી લેવી ફરજિયાત છે અને મંજૂરી મળ્યા બાદ જ મુખ્યમંત્રીની ધરપકડ થઈ શકે છે.

ગૃહની અંદરથી કોઈપણ મુખ્યમંત્રીની ધરપકડ કરી શકાતી નથી

કલમ 135 એમ પણ કહે છે કે વિધાનસભા સત્ર શરૂ થયાના 40 દિવસ પહેલા અને સત્ર સમાપ્ત થયાના 40 દિવસ પછી કોઈપણ મુખ્યમંત્રી કે વિધાનસભાના સભ્યની ધરપકડ કરી શકાતી નથી. તેમજ મુખ્યમંત્રી કે કોઈપણ વિધાનસભા સભ્યની ગૃહમાંથી પણ ધરપકડ થઇ શકે નહી.

ગૃહના અધ્યક્ષની પરવાનગી જરૂરી 

એક વધુ નિયમ છે. કોઈપણ મુખ્યમંત્રીની ધરપકડ કરવી હોય તો પહેલા ગૃહના અધ્યક્ષની પરવાનગી લેવી પડે છે. વિધાનસભા અધ્યક્ષની મંજૂરી મળ્યા બાદ જ પોલીસ અથવા તપાસ એજન્સી મુખ્યમંત્રીને કસ્ટડીમાં લઈ શકે છે.

જેલ જતા પહેલા રાજીનામું આપવું જરૂરી?

કોઈ પણ મુખ્યમંત્રી કે મંત્રી વગેરેએ માત્ર જેલમાં જઈને રાજીનામું આપવાની જરૂર નથી. અહીં વાત આરોપ તેમજ તે આરોપ સિદ્ધ થવા પર આધાર રાખે છે. જ્યાં સુધી વ્યક્તિ માત્ર આરોપી છે ત્યાં સુધી તેને કાયદેસર રીતે પદ પરથી દૂર કરી શકાય નહીં.

મુખ્યમંત્રીની ધરપકડ કયા નિયમો હેઠળ થઈ શકે? શું કેજરીવાલ જેલથી સરકાર ચલાવી શકશે? જાણો કાયદો શું કહે છે 2 - image


Google NewsGoogle News