CAA: બિન-મુસ્લિમોને ભારતની નાગરિકતા મળ્યા બાદ થશે મોટા ફાયદા, ચૂંટણી પણ લડી શકશે

બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મળ્યા બાદ તેમને ચૂંટણીમાં મત આપવાનો અધિકાર મળી જશે

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
CAA: બિન-મુસ્લિમોને ભારતની નાગરિકતા મળ્યા બાદ થશે મોટા ફાયદા, ચૂંટણી પણ લડી શકશે 1 - image


CAA rules snotification benefits: લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કર્યો છે. જે ચાર વર્ષ પહેલા ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેનો અમલ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયના નોટિફિકેશન મુજબ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓએ નાગરિકતા (સુધારા) નિયમો, 2024 હેઠળ નાગરિકતા મેળવવા ઇચ્છુક વ્યક્તિને અરજી કરવી પડશે. આ માટે એક વેબ પોર્ટલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

31 ડિસેમ્બર 2014 પહેલા આવેલા શરણાર્થીઓને મળશે નાગરિકત્વ 

ગૃહ મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર, આ માટે અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો માંગવામાં આવશે નહીં. નિયમો હેઠળ, હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ ધર્મના શરણાર્થીઓ કે જેઓ 31 ડિસેમ્બર, 2014 અથવા તે પહેલાં ત્રણ દેશોમાંથી ભારતમાં આવ્યા છે, તેમને નાગરિકતા આપવામાં આવશે. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે નાગરિકતા મેળવ્યા પછી આ શરણાર્થીઓને કયા કાયદાકીય અધિકારો અને લાભો મળી શકે છે.

આ નાગરિકોને મતદાનથી લઈને ચૂંટણી લડવા સુધીના મળશે લાભો

ભારતીય નાગરિકતા અધિનિયમ-1955માં અત્યાર સુધીમાં કુલ છ વખત સુધારો કરવામાં આવ્યો છે. છેલ્લો સુધારો ડિસેમ્બર 2019માં કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ત્રણ દેશોમાંથી આવતા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. CAAના નિયમો અનુસાર, નાગરિકતા મેળવ્યા પછી, આવા લોકોને તે જ દિવસથી ભારતના નાગરિક માનવામાં આવશે જે દિવસે તેઓ ભારતમાં પ્રવેશ્યા હતા. નિયમો અનુસાર આવા ભારતીય નાગરિકો મતદાનથી લઈને ચૂંટણી લડવા સુધીના લાભો મેળવી શકશે.

CAA દ્વારા નાગરિકતા મળવાથી શું થશે ફાયદા? 

1. મત આપવાનો અધિકાર 

ભારતીય બંધારણ મિજબ જેઓ બહારના નાગરિક છે તે જ મતદાન કરી શકે છે. આથી કાયદા હેઠળ બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળ્યા પછી, તેમને ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર મળશે. 

2. ચૂંટણી લડવાનો અધિકાર 

ત્રણેય દેશમાંથી આવતા નાગરિકોને નાગરિકત્વ મળ્યા બાદ તેમને ચૂંટણી લડવાનો અધિકાર પણ મળશે. આ રીતે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા કોઈપણ બિન-મુસ્લિમ શરણાર્થી સાંસદ, ધારાસભ્ય અથવા કાઉન્સિલર બની શકે છે.

3. સરકારી યોજનાઓનો લાભ 

CAA દ્વારા નાગરિકતા મેળવ્યા પછી, આવા નાગરિકો દેશભરમાં કલ્યાણકારી સામાજિક યોજનાઓનો લાભ પણ મેળવી શકશે. જેમકે  રાશન કાર્ડ, ગેસ, વીજળી, પાણી, ઉજ્જવલા યોજના, આયુષ્માન યોજના, પીએમ આવાસ યોજના જેવી સરકારી યોજનાઓનો લાભ મેળવી શકાશે. આ ઉપરાંત આવા નાગરિકો કોઈપણ બંધારણીય પદ પર નિયુક્ત થઈ શકશે.

4. મૌલિક અધિકાર 

ભારતીય બંધારણ મુજબ ભારતીય નાગરિકો પાસે સાત મૂળભૂત અધિકારો છે. CAA કાયદા હેઠળ નાગરિકતા મેળવ્યા પછી, આ બિન-મુસ્લિમોને દેશમાં સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ સામે અધિકાર, ધર્મ, સંસ્કૃતિ અને શિક્ષણની સ્વતંત્રતાનો અધિકાર, સંપત્તિનો અધિકાર અને બંધારણીય ઉપાયોનો અધિકાર પણ મળશે.

CAA: બિન-મુસ્લિમોને ભારતની નાગરિકતા મળ્યા બાદ થશે મોટા ફાયદા, ચૂંટણી પણ લડી શકશે 2 - image


Google NewsGoogle News