ભાજપે આપના સફાયા માટે ઓપરેશન 'ઝાડુ' શરૂ કર્યુ : કેજરીવાલ

Updated: May 20th, 2024


Google NewsGoogle News
ભાજપે આપના સફાયા માટે ઓપરેશન 'ઝાડુ' શરૂ કર્યુ : કેજરીવાલ 1 - image


ભાજપ આપને પડકાર તરીકે ગણે છે : મુખ્યપ્રધાન 

ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચાશે તો દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તે સુનિશ્ચિત કરાશે 

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આમ આદમી પાર્ટી (આપ)નો સફાયો કરવા માટે ઓપરેશન 'ઝાડુ' શરૂ કર્યુ છે કારણકે ભાજપ આપને એક પડકાર ગણે છે.

ભાજપ મુખ્યમથક પર આપની પ્રસ્તાવિત વિરોધ રેલી અગાઉ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આગળ મોટા પડકારો સામે આવશે.તેમણે કાર્યકરોને આ માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.

કેજરીવાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ચિંતિત છે. પાર્ટી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. તેમણે પાર્ટીને કચડવા માટે ઓપરેશન 'ઝાડુ' શરૂ કર્યુ છે. 

તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અમારા બેંક ખાતાઓની લેવડદેવડ પર  પ્રતિબંધ મૂકી દેવામાં આવશે, અમારું કાર્યાલય છીનવી લેવામાં આવશે અને એમે સડક પર આવી જઇશું.

દિલ્હીના મુખ્યપ્રધાને વધુમાં દાવો કર્યો હતો કે જો કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચાશે તો સુનિશ્ચિત કરવામાં આવશે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજજો મળે.



Google NewsGoogle News