Aditya L1 અંગે બિગ અપડેટ્સ, આ તારીખ સુધી ડેસ્ટિનેશન પર પહોંચી જશે, ISROએ જણાવી તારીખ

Aditya-L1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ પસાર કરશે

Aditya-L1 પર લાગેલા પેલોડ સૂર્ય પ્રકાશ, પ્લાઝમાં અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
Aditya L1 અંગે બિગ અપડેટ્સ, આ તારીખ સુધી ડેસ્ટિનેશન પર પહોંચી જશે, ISROએ જણાવી તારીખ 1 - image


Aditya-L1 Mission : ભારતે ગયા મહિને ચંદ્રયાન-3 (Chandrayaan-3)ની સફળતાના દિવસો બાદ તેનું પ્રથમ સૂર્ય મિશન (first Sun mission) શરૂ કર્યું હતું. સૂર્યનો અભ્યાસ કરવા માટે Aditya-L1એ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેંગિયન-1 (L-1) પોઈન્ટ સુધી પહોંચવું પડશે. હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ આ અંગે અપડેટ કર્યું છે કે Aditya-L1 જાન્યુઆરીના મધ્ય સુધીમાં લેગ્રેંગિયન -1 સુધી પહોંચી જશે.

Aditya-L1 ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે : ISRO ચીફ

ISROના ચીફ (ISRO chief) એસ સોમનાથે આ અંગે અપડેટ આપતા કહ્યું હતું કે  Aditya-L1 ખૂબ જ સારી રીતે કામ કરી (working very well) રહ્યું છે અને હાલ પૃથ્વીથી L-1 પોઈન્ટ સુધી પહોંચવામાં લગભગ 110 દિવસ લાગે છે એટલે જાન્યુઆરીના મધ્ય સુધીમાં આ L-1 પોઈન્ટ સુધી પહોંચી જશે અને બાદમાં L-1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેંગિયન પોઈન્ટના હેલો ઓર્બિટ (halo orbit)માં સ્થાપિત કરવામાં આવશે. Aditya-L1 પર લાગેલા પેલોડ સૂર્ય પ્રકાશ, પ્લાઝમાં અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે.

એસ સોમનાથ મદુરાઈમાં પત્રકારો સાથે વાત કરી હતી

ઉલ્લેખનીય છે કે ISROએ 2 સપ્ટેમ્બરે PSLV C57 લોન્ચ વ્હીકલથી Aditya-L1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ લોન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર (Satish Dhawan Space Center in Sriharikota)થી થયું હતું. ચંદ્રયાન-3ની જેમ આ મિશન પહેલા પૃથ્વીની આસપાસ ફરશે અને પછી તે ઝડપથી સૂર્ય તરફ (rapidly fly) આગળ વધશે. ISROએ કહ્યું હતું કે Aditya-L1 તેની ભ્રમણકક્ષા બદલીને આગલી ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું છે. Aditya-L1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ પસાર કરશે અને આ સમયગાળા દરમિયાન તેની ભ્રમણકક્ષાને પાંચ વખત બદલવા માટે પૃથ્વી બાઉન્ડ ફાયરિંગ (bound firing) કરવામાં આવશે.

મિશનના ઉદ્દેશ્યો શું છે?

ભારતનું મહત્વાકાંક્ષી સુર્ય મિશન  Aditya-L1 સૂર્યના વાતાવરણના સૌથી બહારના ભાગની રચના અને તેની ગરમીની પ્રક્રિયા, તેનું તાપમાન, સૌર વિસ્ફોટ અને સૌર વાવાઝોડાના કારણો અને ઉત્પત્તિ, સંરચના અને વેગનો અભ્યાસ કરશે. આ ઉપરાંત લૂપ પ્લાઝ્મા. અને ઘનતાને અસર કરતા પરિબળો, કોરોનલ માસ ઇજેક્શનની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને ગતિ સૌર પવનો અને અવકાશ હવામાનનો અભ્યાસ કરશે.

Aditya L1 અંગે બિગ અપડેટ્સ, આ તારીખ સુધી ડેસ્ટિનેશન પર પહોંચી જશે, ISROએ જણાવી તારીખ 2 - image


Google NewsGoogle News