આજે ભારત બંધ, શું છે કારણ? શું ખુલશે-શું બંધ રહેશે? તમને મૂંઝવતા દરેક સવાલોના જવાબ જાણો

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
આજે ભારત બંધ, શું છે કારણ? શું ખુલશે-શું બંધ રહેશે? તમને મૂંઝવતા દરેક સવાલોના જવાબ જાણો 1 - image


Bharat Bandh 2024: અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ આજે (21 ઓગસ્ટ) 'ભારત બંધ'નું આહ્વાન કર્યું છે. બસપા સહિત ઘણી પાર્ટીઓ આ બંધને સમર્થન આપી રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે ભારત બંધ શા માટે બોલાવવામાં આવ્યો? સુપ્રીમ કોર્ટના કયા નિર્ણયનો દલિત સંગઠનો કરી રહ્યા છે વિરોધ? શું છે દલિત સંગઠનોની માંગ? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) માં લેટરલ એન્ટ્રી સામે શા માટે સવાલો ઊભા થયા? ભારત બંધ દરમિયાન શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે? જાણો તમામ સવાલોના જવાબ 

શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય?

સુપ્રીમ કોર્ટે SC-ST આરક્ષણમાં ક્રીમીલેયર અંગે ચુકાદો આપતા કહ્યું હતું કે, તમામ SC અને ST જાતિઓ અને જનજાતિઓ સમાન વર્ગ નથી. કેટલીક જાતિઓ વધુ પછાત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે - ગટર સાફ કરનારા અને વણકર. આ બંને જાતિઓ SC હેઠળ આવે છે, પરંતુ આ જાતિના લોકો બાકીના લોકો કરતા વધુ પછાત રહે છે. આ લોકોના ઉત્થાન માટે, રાજ્ય સરકારો એસસી-એસટી અનામતનું વર્ગીકરણ (સબ-વર્ગીકરણ) કરીને અલગ ક્વોટા નક્કી કરી શકે છે. આમ કરવું બંધારણના અનુચ્છેદ 341ની વિરુદ્ધ નથી. ક્વોટા નક્કી કરવાના નિર્ણયની સાથે સુપ્રીમ કોર્ટે રાજ્યોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી અને કહ્યું કે રાજ્ય સરકારો આ નિર્ણય મનસ્વી રીતે લઈ શકે નહીં. આમાં પણ બે શરતો લાગુ પડશે.

કઈ પાર્ટીઓ ભારત બંધને સમર્થન આપી રહી છે?

દલિત સંગઠનોએ આજે 'ભારત બંધ'નું એલાન આપ્યું છે. સવારથી આ મામલો ગૂગલ પર ટ્રેન્ડમાં છે. દેશભરના દલિત સંગઠનોએ 21મી ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે. તેમને બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ ભારત ટ્રાઇબલ પાર્ટી મોહન લાટ રોટનું સમર્થન પણ મળી રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ સહિત કેટલીક પાર્ટીઓના નેતાઓ પણ સમર્થનમાં છે.

ભારત બંધનું એલાન કરનારાઓની શું છે માંગ?

ભારત બંધને લઈને રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ સહિત દેશભરમાં અસર દેખાઈ શકે છે. ભારત બંધનું એલાન કરી રહેલા દલિત સંગઠનોએ માંગ કરી છે કે સુપ્રીમ કોર્ટ ક્વોટાના નિર્ણયને પાછો ખેંચે અથવા પુનર્વિચાર કરે.

ભારત બંધ દરમિયાન શું બંધ રહેશે?

ભારત બંધને લઈને હજુ સુધી કોઈપણ રાજ્ય સરકારે સત્તાવાર માર્ગદર્શિકા જારી કરી નથી. પોલીસ પ્રશાસનને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સત્તાધીશો વ્યાપક પગલાં લઈ રહ્યા છે. ભારત બંધ દરમિયાન જાહેર પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. કેટલીક જગ્યાએ ખાનગી ઓફિસો બંધ થઈ શકે છે.

આ સેવાઓ ચાલુ રહેશે

21 ઓગસ્ટના ભારત બંધ દરમિયાન હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે. બેંક ઓફિસ અને સરકારી ઓફિસો બંધ રાખવા અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ આદેશ આવ્યો નથી. તેથી, એવું માનવામાં આવે છે કે બુધવારે બેંકો અને સરકારી કચેરીઓ પણ ખુલશે.

આજે ભારત બંધ, શું છે કારણ? શું ખુલશે-શું બંધ રહેશે? તમને મૂંઝવતા દરેક સવાલોના જવાબ જાણો 2 - image


Google NewsGoogle News