અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ કાર્યનો VIDEO આવ્યો સામે, શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કર્યો જાહેર

શ્રી રામ મંદિરના નિર્માણ કાર્યના વીડિયોમાં આહલાદક નજારો, મંદિરની બહારનો લુક પણ મન મોહી લે તેવો

અયોધ્યામાં શ્રી રામલલા આગામી વર્ષે 22 જાન્યુઆરીએ નવા બનાયેલ રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ કાર્યનો VIDEO આવ્યો સામે, શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કર્યો જાહેર 1 - image

અયોધ્યા, તા.26 ઓક્ટોબર-2023, ગુરુવાર

ઉત્તર પ્રદેશના અયોધ્યા (Ayodhya)માં ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિર ((Ram Temple))નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે (Sriram Janmabhoomi Teerth Kshetra Trust) મંદિરના નિર્માણ કાર્યનો ભવ્ય વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર શેર કરાયેલા વીડિયોમાં જોવા મળ્યું રહ્યું છે કે, અહીં કારીગરો મંદિરનું નક્શી કામ કરી રહ્યા છે. ઉપરાંત રામ મંદિરની ભવ્યતા પણ જોવા મળી રહી છે.

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શેર ક્યો વીડિયો

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોશિયલ મીડિયા એક્સ પર અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ કાર્યનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં શ્રી રામ મંદિરનો ભવ્યાતિભવ્ય નજારો જોવા મળી રહ્યો છે, ઉપરાંત કારીગરો દ્વારા પણ આબેહુબ નક્શી કામ ચાલી રહ્યું હોવાનું પણ નજરે પડે છે. વીડિયોમાં ગર્ભગૃહ ઉપરાંત મંદિરની બહારના ભાગનો લુક પણ મન મોહીલે તેવો છે, એટલું જ નહીં કારીગરો મંદિરના જુદા જુદા ભાગોમાં નિર્માણ કાર્ય કરતા પણ જોવા મળી રહ્યા છે.

શ્રી રામલલા 22 જાન્યુઆરીએ નવા બનાયેલ રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે

ઉલ્લેખનિય છે કે, અયોધ્યામાં ભગવાન રામલલા (Ram Lala)ના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તારીખ જાહેર થઈ ગઈ છે. રામલલા 22 જાન્યુઆરીએ નવા બનાયેલ રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ વસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પણ ઉપસ્થિત રહેશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે (Champat Rai) ગઈકાલે આ અંગેની માહિતી આપી છે. મહાસચિવ ચંપત રાયે ગઈકાલે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેંન્દ્ર મિશ્રા, ટ્રસ્ટના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓ સાથે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવા આમંત્રણ આપ્યું છે. PM મોદીએ આમંત્રણ સ્વિકારવાની સાથે જ પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ પણ નિર્ધારીત થઈ ગઈ છે.

PM મોદીએ કહ્યું, ‘હું આ ઐતિહાસિક અવસરનો સાક્ષી બનીશ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર આમંત્રણ અંગેની જાણકારી આપતા લખ્યું કે, ‘જય સિયારામ ! આજનો દિવસ ખુબ જ ભાવનાઓથી ભરેલો છે. આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓ મને મારા નિવાસસ્થાને મળવા આવ્યા હતા. તેઓએ શ્રીરામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા અવસરે અયોધ્યા આવવા મને આમંત્રણ આપ્યું છે. હું પોતાને ખુબ ધન્ય અનુભવી રહ્યો છું. આ મારું સૌભાગ્ય છે કે, મારા જીવનકાળમાં હું આ ઐતિહાસિક અવસરનો સાક્ષી બનીશ...


Google NewsGoogle News