ગુજરાત સહિત 200 ટોલ પ્લાઝા પર કૌભાંડ, નકલી સોફ્ટવેર અપલોડ કરી સરકારના કરોડો રૂપિયા કર્યાં ચાઉં
Toll Plaza Scam: દેશભરમાં 200થી વધારે ટોલ પ્લાઝા પર સોફ્ટવેર દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ આચરનારા ત્રણ લોકોની STFના વારાણસી અને લખનૌ યુનિટે ધરપકડ કરી છે. મિર્ઝાપુરના લાલગંજ સ્થિત અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડા પાડી આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ પ્રકારનું કૌભાંડ આચરી NHAIને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.
નકલી સોફ્ટવેર બનાવી આચર્યું કૌભાંડ
જણાવવામાં આવી રહ્યું છે કે, મુખ્ય આરોપી આલોક કુમાર સિંહે MCAનો અભ્યાસ કર્યો છે અને તેને સોફ્ટવેર બનાવવાની સંપૂર્ણ જાણકારી છે. તેણે એક સોફ્ટવેર તૈયાર કર્યું હતું, જે ટોલ પ્લાઝાના કોમ્પ્યુટર સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરી દેવાયું હતું. આ સોફ્ટવેર ફાસ્ટ ટેગ રહિત વાહનો પાસેથી વસુલવામાં આવતાં બમણાં ટોલ ટેક્સને NHAI સિસ્ટમથી અલગ કરી દેતું હતું.
આ પણ વાંચોઃ 15 લાખથી વધુ આવક ધરાવતા લોકો પર સરકારની નજર, બજેટમાં મળી શકે છે ગુડ ન્યૂઝ
42 ટોલ પ્લાઝા પર ઇન્સ્ટોલ કર્યું હતું આ સોફ્ટવેર
STF અનુસાર, આરોપીઓએ આ સોફ્ટવેરને 42 ટોલ પ્લાઝા પર ઇન્સ્ટોલ કર્યું હતું. આલોક કુમાર સિંહે જણાવ્યું કે, તેણે આ કૌભાંડ ટોલ પ્લાઝાના માલિકો અને મેનેજરની મદદથી આચર્યું હતું. આ કૌભાંડ દ્વારા હાંસલ કરવામાં આવેલી રકમને ટોલ કર્મી અને પોતાના સાથીઓ વચ્ચે વહેંચવામાં આવતી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર કૌભાંડમાં વારાણસીનો રહેવાસી આલોક સિંહ, મધ્ય પ્રદેશનો રહેવાસી મનીષ મિશ્રા, પ્રયાગરાજનો રહેવાસી રાજીવ કુમાર મિશ્ર સામેલ હતો. હાલ, આ તમામની સામે મિર્ઝાપુરના લાલગંજ પોલીસ સ્ટેશનમાં BNSની ધારા 316(2), 319(2), 318(4), 338, 336(3), 340(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસ તપાસ દરમિયાન આરોપીઓના બે લેપટોપ, એક પ્રિન્ટર, પાંચ મોબાઇલ ફોન અને એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ વક્ફ બિલ મુદ્દે JPC મીટિંગમાં હોબાળો, માર્શલ બોલાવવા પડ્યા: વિપક્ષના 10 સાંસદ સસ્પેન્ડ
કયા-કયા ટોલ પ્લાઝા પર અલગથી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાયું?