ભાજપ સાંસદ અને ધારાસભ્ય સહિત અનેક કાર્યકર્તાની ધરપકડ, સમર્થકોનો હોબાળો, જાણો શું છે મામલો

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
ભાજપ સાંસદ અને ધારાસભ્ય સહિત અનેક કાર્યકર્તાની ધરપકડ, સમર્થકોનો હોબાળો, જાણો શું છે મામલો 1 - image
Image Twitter 

BJP Leaders Arrested : આસિફાબાદ જિલ્લાના જૈનૂર મંડળ કેન્દ્રમાં જઈ રહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અને ભાજપના ધારાસભ્ય કુમરામ ભીમને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. પીડિતોને મળવા જઈ રહેલા અદિલાબાદના સાંસદ ગોદોમ નાગેશ અને ધારાસભ્ય પાયલ શંકર સહિત ભાજપના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. 

તેલંગાણાના કુમારમ ભીમ આસિફાબાદ જિલ્લાના જૈનૂર મંડલ કેન્દ્રમાં પીડિતોને મળવા જતા ભાજપના નેતાઓની પોલીસે ધરપકડ કરી હતી. બે અઠવાડિયા પહેલા આદિવાસી જૈનૂરમાં રમખાણો અને સંપત્તિના નુકશાનના પીડિતોને મળવા માટે જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે બપોરે ઉટનૂર એક્સ રોડ પર તેની ધરપકડ કરી હતી.

તેલંગાણા પોલીસે ભાજપના નેતાઓની કેમ કરી ધરપકડ?

સાંસદ અને ધારાસભ્યોએ એવુ કહીને પરવાનગી માંગી હતી કે, તેઓ જનતાના પક્ષ- વિપક્ષને સાંભળવા માટે જનપ્રતિનિધિ તરીકે જઈ રહ્યા છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તેમને પ્રતિબંધિત આદેશોની પૃષ્ઠભૂમિમાં જવાની મંજૂરી નથી. ત્યાર બાદ પોલીસે તેમને જિલ્લા એસપી સાથે ફોન પર વાત ન કરવા દીધી. તેમને ઉટનૂર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

સાંસદ અને ધારાસભ્યએ તેલંગાણા સરકાર પર લગાવ્યા  આરોપો

સાંસદ ગોદોમ નાગેશ, ધારાસભ્ય પાયલા શંકર સાથે ભાજપના જિલ્લા અધ્યક્ષ પતંગે બ્રહ્માનંદ, વરિષ્ઠ નેતા રવિન્દર, નગરપાલિકાના કાઉન્સિલર અકુલા પ્રવીણ કુમાર અને અશોક રેડ્ડી ગણેશને પોલીસ ઉટનૂર પોલીસ સ્ટેશનમાં લાવી હતી. અદિલાબાદના સાંસદ નાગેશ અને ધારાસભ્ય પાયલા શંકરે એ વાતનો ઈન્કાર કર્યો હતો કે, એક અઠવાડિયા  પછી પણ તેમને ઝૈનૂર ઘટનાના પીડિતોને મળવા દેવાયા નથી.

'સરકાર આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે'

સાંસદ અને ધારાસભ્યએ ટીકા કરતા કહ્યું કે. "સરકાર માત્ર એક વર્ગ સાથે રમત કરીને આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે." તેમણે નિર્દોષ લોકોની ધરપકડ કરીને એજન્સીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ખલેલ પહોંચાડવા બદલ પોલીસની ટીકા કરી હતી. તેમણે ટીકા કરી હતી કે, કોંગ્રેસના નેતાઓના શબ્દોને અનુસરીને પોલીસ નિર્દોષ લોકોની ધરપકડ કરીને કાયદો અને વ્યવસ્થા ખોરવી રહી છે.


Google NewsGoogle News