એક જમાનામાં નેતાઓ ચૂંટણી લડવા વિરોધીઓને પણ મદદ કરતા, વાંચો નહેરુ-લોહિયાનો જાણીતો કિસ્સો

ઉત્તર પ્રદેશની ફુલપુર બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
એક જમાનામાં નેતાઓ ચૂંટણી લડવા વિરોધીઓને પણ મદદ કરતા, વાંચો નહેરુ-લોહિયાનો જાણીતો કિસ્સો 1 - image


Lok Sabha Elections 2004: લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી છે. 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન થશે. 19 એપ્રિલથી 1 જૂન સુધી ચાલશે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના અલગ-અલગ પક્ષોમાંથી ટિકિટ મળ્યા બાદ તમે બધાએ ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોને પ્રચાર કરતા જોયા હશે. આ દરમિયાન ઉમેદવારોની ચૂંટણી પ્રચારની પદ્ધતિઓ ઘણીવાર લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. પરંતુ આજે તમને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને સમાજવાદનો પાયો નાખનાર ડો. રામ મનોહર લોહિયાનો રસપ્રદ કિસ્સો જણાવીશું. જેમાં એક નેતા બીજા નેતાની ચૂંટણી પ્રચારમાં મદદ કરી હતી.

આ ઘટનાએ વિદેશના મીડિયાનું ધ્યાન ખેંચ્યું 

1962ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ફૂલપુર બેઠક પર પંડિત જવાહરલાલ નેહરુ અને ડો. રામ મનોહર લોહિયા વચ્ચે ટક્કર હતી. આ દરમિયાન, એક તરફ નહેરુ ચૂંટણી પ્રચાર દરમિયાન કારના કાફલા સાથે મુસાફરી કરતા હતા, તો બીજી બાજુ લોહિયા ઘોડાગાડીઓ સાથે પ્રચાર કરતા હતા. ત્યારે જવાહરલાલ નેહરુએ રામ મનોહર લોહિયાને ચૂંટણી પ્રચાર માટે જીપ અને ચૂંટણી ખર્ચ માટે 25 હજાર રૂપિયા મોકલ્યા હતા. પરંતુ લોહિયાએ તે જીપ નેહરુને પાછી આપી. જો કે, મળતી માહિતી મુજબ ચૂંટણીમાં પૈસા ખર્ચવામાં આવ્યા હતા. આ ઘટનાએ ભારત અને વિદેશના મીડિયાનું ઘણું ધ્યાન ખેંચ્યું હતું.

નેહરુ સામે ચૂંટણી લડવી સરળ નહોતી

1962માં ફુલપુર લોકસભા બેઠક અંગે રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, તે સમયે પંડિત જવાહરલાલ નેહરુ સામે લડવું સરળ નહોતું, જો કે, નેહરુ પણ ઈચ્છતા હતા કે તેમનાથી મોટો ચહેરો ચૂંટણી મેદાનમાં આવે. જ્યારે ડો. રામ મનોહર લોહિયાએ ફુલપુરથી સોશ્યલિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે તેમના નામાંકનની જાહેરાત કરી હતી, ત્યારે તેમના રાજકીય સહયોગીઓએ સલાહ આપી હતી કે બીજી બેઠક પરથી ચૂંટણી લડવી વધુ સારું રહેશે. જો કે, ડો. રામ મનોહર લોહિયા આ બાબતે મક્કમ રહ્યા હતા. તેમણે કહ્યું કે, 'ગમે તે થાય નેહરુની નીતિઓના વિરોધમાં ફુલપુરથી ચૂંટણી લડશે.' જો કે બધાની નજર આ બેઠક પર ટકેલી હતી. ચૂંટણી પરિણામો આવ્યા પછી પંડિત જવાહરલાલ નેહરુની જીતી થઈ હતી.

ફુલપુર બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી

પંડિત જવાહરલાલ નેહરુના નિધન પછી ઉત્તર પ્રદેશની ફુલપુર બેઠકની જવાબદારી તેમની બહેન વિજય લક્ષ્મી પંડિતે સંભાળી હતી. 1964માં અહીં યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસે વિજય લક્ષ્મી પંડિતને મેદાનમાં ઉતાર્યા હતા. તે ચૂંટણી જીતવામાં સફળ રહી હતી. વર્ષ 1967માં દેશમાં લોકસભા ચૂંટણી થઈ રહી હતી. કોંગ્રેસે ફરી એકવાર ફુલપુર સંસદીય બેઠક પરથી વિજય લક્ષ્મીને મેદાનમાં ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં તેમણે યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટીના ઉમેદવાર જનેશ્વર મિશ્રાને હરાવીને કોંગ્રેસનો વારસો આગળ ધપાવ્યો હતો. વિજયા લક્ષ્મી દેશના પ્રથમ વડાપ્રધાન નેહરુની બહેન અને ઈન્દિરા ગાંધીની કાકી હતા. આ રીતે આ બેઠક કોંગ્રેસની સાથે નેહરુ પરિવારનો ગઢ હતી. વિજય લક્ષ્મી સતત બે વખત આ વિસ્તારના સાંસદ રહ્યા હતા.

એક જમાનામાં નેતાઓ ચૂંટણી લડવા વિરોધીઓને પણ મદદ કરતા, વાંચો નહેરુ-લોહિયાનો જાણીતો કિસ્સો 2 - image


Google NewsGoogle News