iPhone ની લાલચમાં 18 વર્ષના છોકરાએ વૃદ્ધની હત્યા કરી, પથારીને ચાંપી આગ, આ રીતે પકડાયો

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
iPhone ની લાલચમાં 18 વર્ષના છોકરાએ વૃદ્ધની હત્યા કરી, પથારીને ચાંપી આગ, આ રીતે પકડાયો 1 - image


Prayagraj old Man Murdered : યુપીના પ્રયાગરાજમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 18 વર્ષના છોકરાએ માત્ર એક iPhone માટે એક વૃદ્ધની હત્યા કરી નાખી. આટલું ઓછું હોય તેમ પુરાવાનો નાશ કરવા માટે તેમનો પલંગ પણ સળગાવી દીધો. જોકે આ હત્યારાએ આ હત્યાથી બચવા માટે ઘણી કોશિશ કરી હતી, પરંતુ તેની તમામ યુક્તિઓ પોલીસની સામે નિષ્ફળ ગઈ હતી.

શું છે સમગ્ર મામલો?

પ્રયાગરાજની કારેલી પોલીસે એક 18 વર્ષના યુવાનની હત્યાના કેસમાં ધરપકડ કરી છે, તેણે હત્યા બાદ ખૂબ જ ચાલાકીપૂર્વક  પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે ACP પુષ્કર વર્મા અને તેની આકરી પૂછપરછ કરી ત્યારે હત્યાનો સમગ્ર ભેદ ઉકેલાઈ ગયો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

હત્યારાથી ચાલાકી સામે પહેલા તો પોલીસ અકસ્માત માની લીધો

વૃદ્ધની હત્યાના કેસમાં પકડાયેલા છોકરાએ વૃદ્ધાના બેંકમાં જમા કરાવેલા પૈસા માટે આ હત્યા કરી હતી. અને આ જ પૈસા આરોપી સામે હત્યાનો પુરાવો બની ગયો હતો. શાતિર હત્યારાએ વૃદ્ધની હત્યા કર્યા બાદ મૃતકના પલંગને આગ લગાવી દીધી હતી. એટલું જ નહીં તેણે વીજળીના વાયરો એવી રીતે સેટ કર્યા કે પોલીસને પણ એવું લાગ્યું કે મૃત્યુ વીજળીના કરંટથી થયું છે.

શરૂઆતની પૂછપરછમાં તો પોલીસને પણ એવું જ લાગ્યું હતું કે આ એક અકસ્માત છે, પરંતુ જ્યારે આઈપીએસ અધિકારીએ આ કિસ્સામાં ઝીણવટથી તપાસ કરી તો આ હત્યાનું રહસ્ય અને તેની પાછળનું કારણ સામે આવ્યું.

આ રીતે ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો

પ્રયાગરાજના કારેલીમાં રહેતા ચંદ્ર પ્રકાશ શ્રીવાસ્તવ ઘરમાં એકલા જ રહેતા હતા. અને તેમની પાડોશમાં રહેતા આદિત્ય મૌર્ય સાથે સારો વ્યવહાર થયો. એક દિવસ ઘરનું એસી બરોબર ચાલતું નહોતું તેથી ચંદ્ર પ્રકાશે આદિત્યને સર્વિસ સેન્ટર પર ફોન કરવા કહ્યું હતું.

ત્યારે આદિત્યએ ચંદ્ર પ્રકાશને કહ્યું કે, સર્વિસ સેન્ટર વધુ પૈસા લેશે. ત્યારે ચંદ્ર પ્રકાશે આદિત્યને તેમની બેંક પાસબુક બતાવી અને કહ્યું કે તેની પાસે પૈસાની કોઈ કમી નથી. તને જેટલું કહેવામાં આવે તેટલું કરો. ત્યારપછી આદિત્યનું મન બેંકમાં જમા વૃદ્ધાના પૈસા પર લાગી ગયું હતુ અને તેણે આ પૈસા પડાવી લેવાનો જુગાડ શરુ કરી દીધો હતો. 

એક દિવસ આદિત્યએ ચંદ્ર પ્રકાશનું ATM ચોરી લીધું અને તેનો પીન નંબર પણ શોધી કાઢ્યો. જ્યારે પણ તે એટીએમમાંથી પૈસા ઉપાડતો ત્યારે મેસેજ ચંદ્ર પ્રકાશના મોબાઈલમાં જતો હતો, તેથી આદિત્યએ તેમનો મોબાઈલ ચોરવાનો પ્લાન બનાવ્યો. અને એક દિવસ રાતના સમયે અંધારામાં ચંદ્ર પ્રકાશના ઘરમાં ઘુસી ગયો. 

આદિત્યએ તેના પ્લાન પ્રમાણે ચંદ્ર પ્રકાશનો મોબાઈલ તો ચોરી લીધો, પરંતુ મોબાઈલ લઈને ભાગતી વખતે તેનો પગ ટેબલ સાથે અથડાયો, જેના કારણે ટેબલ પડી ગયું અને અવાજ થતાં ચંદ્ર પ્રકાશ જાગી ગયા. આદિત્ય ત્યાથીં ભાગવાની કોશિશ કરતાં ચંદ્ર પ્રકાશે તેને પાછળથી પકડી લીધો, પરંતુ આદિત્યએ દરવાજાને એટલો જોરથી ધક્કો માર્યો કે ચંદ્ર પ્રકાશ દરવાજાના હેન્ડલ સાથે અથડાઈને નીચે પડ્યા. જેથી માથામાં ગંભીર ઈજા થઈ અને તે નીચે પડી ગયા.

બીજા દિવસે આદિત્યએ જોયું કે, ચંદ્ર પ્રકાશના ઘરેથી કોઈ અવાજ ન આવતાં સમાચાર પૂછવાના બહાને તેમના ઘરે ગયો. આ દરમિયાન તેણે જોયું કે ચંદ્ર પ્રકાશ મૃત હાલતમાં પડેલાં હતા. તેથી શાતિર આદિત્યએ આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટે ફરી નવો પ્લાન કર્યો. 

આદિત્યએ પહેલા જમીન પડેલા મૃતદેહને બેડ પર મૂક્યો અને પછી પલંગ પર વીજ વાયરો ફેલાવીને પલંગને આગ ચાંપી દીધી. આગમાં આખો પલંગ સળગી ગયો અને ચંદ્ર પ્રકાશનું શરીર પણ થોડું બળી ગયું હતું. માહિતી મળતાં પોલીસ પહોંચી અને તપાસ કરતાં આ ચોરીનો મામલો હોવાનું જણાયું હતું.

IPS પુષ્કર વર્માને થોડી શંકા જતાં તેમણે ચંદ્ર પ્રકાશના બેંક એકાઉન્ટ અને મોબાઈલની વિગતો મેળવી હતી. બેંકની વિગતોમાં જાણવા મળ્યું છે કે, ચંદ્ર પ્રકાશના મૃત્યુ બાદ તેમના એટીએમમાંથી આઈફોન અને મોંઘા ઈયર બડ્સ ખરીદવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે એ દુકાનદારને શોધી કાઢ્યો જેની પાસેથી આદિત્યએ આઈફોન ખરીદ્યો હતો.

પોલીસે સીસીટીવી ચેક કર્યા તો તેમાં બધું સ્પષ્ટ થઈ ગયું કારણ કે આદિત્ય આર્થિક રીતે નબળો હતો અને આઈફોન ખરીદી શકે તેમ ન હતો. પોલીસે આદિત્યને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત કરી હતી. તેણે કહ્યું કે "ચંદ્ર પ્રકાશે મને તેમની પાસે પૈસાની કોઈ કમી નથી તેમ જણાવ્યું હતું, અને બેંકની પાસબુક પણ બતાવી હતી. મેં તેમનું એટીએમ ચોરી લીધુ હતું અને તે એટીએમથી સતત પૈસા ઉપાડી રહ્યો હતો. પરંતુ આ હત્યા મારાથી અજાણતા થઈ છે. અને પોલીસ મારા સુધી ન પહોંચે તે માટે મેં પલંગને આગ લગાવી દીધી હતી."

પોલીસનું નિવેદન બહાર આવ્યું

ACP અતરસુઈયા પુષ્કર વર્માએ જણાવ્યું કે, "ચંદ્ર પ્રકાશ અને આદિત્ય વચ્ચે ખૂબ સારા સંબંધો હતા, જેના કારણે તેણે એટીએમ અને તેનો પિન નંબર મેળવ્યો હતો. મોબાઈલ પરના મેસેજથી પૈસાની વિગતો વિશે ચંદ્ર પ્રકાશને જાણ થઈ ગઈ હતી, તેથી તેણે મોબાઈલની ચોરીને તેનું સિમ કાર્ડ નાખીને વાપર્યું, અને મોબાઈલ ફેંકી દીધો. આ પુરાવાના આધારે પોલીસે તપાસ આગળ વધારીને હત્યારાની ધરપકડ કરવામાં આવી હતી. એસીપીના જણાવ્યા પ્રમાણે આરોપી આદિત્ય ઓવર કોન્ફિડન્સમાં હતો, તેથી જ તે ક્યાંય ભાગ્યો પણ નહોતો.


Google NewsGoogle News