અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત
Updated: Jan 23rd, 2019
કોલકાતા, તા. 23 જાન્યુઆરી 2019, બુધવાર
પશ્ચિમ બંગાળના માલદામાં ગઈકાલે રેલીને સંબોધન કર્યા બાદ ભાજપ પ્રમુખ અમિત શાહની તબિયત ફરી બગડી છે. તેઓ દિલ્હી પાછા ફર્યા છે.
મંગળવારે સાંજે તેઓ પશ્ચિમ બંગાળથી દિલ્હી પરત ફર્યા હતા. અમિત શાહને ફરી તાવ હોવાથી ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. જેના પગલે પશ્ચિમ બંગાળના ઝારગ્રામ રેલીમાં પણ તેમના સામેલ થવા અંગે અનિશ્ચિતતા છે.
બીજી તરફ ફરી એક વખત મમતા બેનરજીને સરકારે ઝારગ્રામમાં અમિત શાહના હેલિકોપ્ટરના લેન્ડિંગને મંજૂરી આપી નથી.જેના પગલે ભાજપ કાર્યકરોએ ગઈકાલે આખી રાત જિલ્લા કલેક્ટરની સામે દેખાવો પણ કર્યા હતા.
આ પહેલા સ્વાઈનફ્લુના કારણે અમિત શાહને એઈમ્સમાં દાખલ કરાયા હતા.સારવાર બાદ રજા મળતાની સાથે જ તેઓ પશ્ચિમ બંગાળમાં રેલી સંબોધવા ઉપડી ગયા હતા.
Gujarat