લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી માટે આજનો દિવસ મહત્ત્વનો, અખિલેશ યાદવની ચેતવણી

કોંગ્રેસની યાત્રામાં સામેલ થવા પર અખિલેશ યાદવે કહ્યું-'વાતચીત ચાલી રહી છે'

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી માટે આજનો દિવસ મહત્ત્વનો, અખિલેશ યાદવની ચેતવણી 1 - image


Uttar Pradesh Politics: કોંગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા' ઉત્તર પ્રદેશ પહોંચી છે. રાહુલ ગાંધી આવતીકાલે અમેઠી અને રાયબરેલીમાં યાત્રાનું નેતૃત્વ કરશે. પરંતુ સપા નેતા અખિલેશ યાદવનું આ યાત્રામાં જોડાવા શંકા છે. સપા અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીનો મુદ્દો ઉઠાવતા અખિલેશ યાદવે કહ્યું કે, 'અત્યારે વાતચીત ચાલી રહી છે, જે ક્ષણે સીટોની વહેંચણી થશે, સમાજવાદી પાર્ટી કોંગ્રેસની ન્યાય યાત્રામાં સામેલ થશે.'

ઉપરાંત અખિલેશે પેપર લીક મુદ્દે કહ્યું કે, લગભગ 60 લાખ યુવાનોએ પરીક્ષા આપી છે અને પેપર લીક થયાના સમાચાર મળી રહ્યા છે, ધારો કે 1 લાખ બાળકોને તેમાં 100 ટકા માર્ક્સ આવે તો શું સરકાર કરશે તેમને નોકરી આપશે?'

નોંધનીય છે કે, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે રવિવારે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, 'એવી અપેક્ષા છે કે અખિલેશ યાદવ ભારત જોડો યાત્રામાં ભાગ લેશે. તાજેતરમાં, અપના દળ (કામરાવાડી)ના નેતા પલ્લવી પટેલે પણ અમારી યાત્રામાં ભાગ લીધો હતો. 

સપાએ અમેઠી અને રાયબરેલીમાં ઉમેદવારો ઉભા રાખ્યા નથી

2019માં સમાજવાદીએ અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસના ઉમેદવારો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે તેના ઉમેદવારો ઉભા કર્યા ન હતા. જો કે, આ વખતે પાર્ટીએ કડક વલણ અપનાવ્યું છે અને કોંગ્રેસને 15 બેઠકોની ઓફર કરી છે અને જો ગઠબંધન યથાવત રહેશે તો કોંગ્રેસ અન્ય કોઈ બેઠક પર ચૂંટણી લડી શકશે નહીં. 


Google NewsGoogle News