NDA-અજિત પવારને લાગશે મોટો ઝટકો, કદાવર નેતા ઉદ્ધવ જૂથના સંપર્કમાં, કયા મુદ્દે નારાજગી?

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
NDA-અજિત પવારને લાગશે મોટો ઝટકો, કદાવર નેતા ઉદ્ધવ જૂથના સંપર્કમાં, કયા મુદ્દે નારાજગી? 1 - image


Chhagan Bhujbal is in contact with uddhav shiv sena : મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ NCP જૂથમાં બધુ બરાબર નથી. પાર્ટીના વરિષ્ઠ નેતા અને અજિત પાવર સાથે મળીને શરદ પવારની પાર્ટી સામે બળવો કરનાર છગન ભુજબળ હવે ભારે નારાજ હોવાની માહિતી સામે આવી છે. તેનું કારણ છે અજિત પવારની પાર્ટી વતી તેમને રાજ્યસભામાં ન મોકલવું. 

અજિત પવારની પાર્ટીમાં મચી શકે છે હડકંપ 

એવું માનવામાં આવે છે કે તે શિવસેના (UBT) ના સંપર્કમાં છે. સૂત્રોએ જણાવ્યું કે શિવસેના (યુબીટી)ના એક વરિષ્ઠ નેતા ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળને મળ્યા હતા. લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ભુજબળ પાર્ટી નેતૃત્વથી નારાજ હોવાના અહેવાલો વચ્ચે આ બેઠક મહત્વની છે.

અજિત પવારને પત્નીને આગળ વધારી 

અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભુજબળ નારાજ છે કેમ કે અજિત પવારે પત્ની સુનેત્રા પવારને બારામતી લોકસભા ચૂંટણીમાં હાર્યા બાદ પણ રાજ્યસભા માટે નોમિનેટ કરી દીધા હતા. રાજ્યના રાજકારણમાં ઓબીસી ચહેરા તરીકે ઓળખાતા ભુજબળ રાજ્યસભાની બેઠક અને કેન્દ્રીયમંત્રી પદ માટે પણ દાવો કરી રહ્યા હતા. તેમના સમર્થકોના દબાણ બાદ છગન ભુજબળ અલગ-અલગ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. તેમણે સોમવારે મુંબઈમાં OBC મોરચા 'સમતા પરિષદ'ના નેતાઓની બેઠક પણ બોલાવી હતી અને શક્તિ પ્રદર્શન કર્યું હતું. જો કે, ભુજબળે પાર્ટીમાં તેમની નારાજગીના દાવાને નકારી કાઢ્યા હતા.

NDA-અજિત પવારને લાગશે મોટો ઝટકો, કદાવર નેતા ઉદ્ધવ જૂથના સંપર્કમાં, કયા મુદ્દે નારાજગી? 2 - image


Google NewsGoogle News