નહીંતર ગઠબંધન તોડો...: NDAમાં ઘમસાણ વચ્ચે અજીત પવાર જૂથની ચેતવણી, શું કરશે ભાજપ?

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
ajit pawar threatens to quit tanaji sawant


Maharashtra's Health Minister Tanaji Sawant: મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના (શિંદે જૂથ)ના નેતા તાનાજી સાવંતના 'ઉલટી' નિવેદનને મામલો એટલો ગંભીર બન્યો છે કે એનસીપી (અજીત જૂથ)ના નેતાઓએ ગઠબંધન તોડવાની માંગ પણ કરી છે. NCP (અજિત જૂથ)ના એક નેતાએ સ્પષ્ટ કહ્યું છે કે કાં તો તાનાજીને બરતરફ કરવામાં આવે અથવા તો ગઠબંધન તોડી નાખવું જોઈએ. 

તાનાજીએ શું કહ્યું હતું?

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી તાનાજી સાવંતે એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો જેમાં તેમણે NCP (અજિત જૂથ) સાથેની તેમની અસ્વસ્થતા વિશે જણાવ્યું હતું કે, 'હું એક કટ્ટર શિવસૈનિક છું. કોઈપણ જે કટ્ટર શિવસૈનિક છે તે ક્યારેય કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે બેસી શકે નહીં. શરૂઆતથી આજ સુધી એનસીપીની માત્ર સાથે બેસી રહેવાથી જ મને અસ્વસ્થતા અનુભવવા લાગી છે. અમારા બંનેના વિચારો અલગ હોવાથી હું શરૂઆતથી જ સહન કરી શકતો નથી, તેમાં કોઈ શંકા નથી. આજે હું એનસીપીના વડા અજિત પવાર સાથે કેબિનેટમાં બેઠો તો પણ બહાર આવ્યા પછી મને ઉબકા આવે છે. હું તે સહન કરી શકતો નથી. એવું નથી કે તેને બદલી શકાતું નથી, પરંતુ અમે અમારા સિદ્ધાંતો માટે પ્રતિબદ્ધ છીએ.'

આ પણ વાંચો: બાબા રામદેવ ફરી ફસાયા, પતંજલિના દંતમંજનને વેજીટેરિયન પ્રોડક્ટ ગણાવતા દિલ્હી હાઇકોર્ટમાં કેસ

ગઠબંધન તોડી નાખો

NCP (અજીત જૂથ)એ પણ તાનાજીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમની તરફથી તાનાજીને બરતરફ કરવા અથવા ગઠબંધનમાંથી ખસી જવાની માંગ કરવામાં આવી છે. NCP (અજિત જૂથ)ના પ્રવક્તા ઉમેશ પાટીલે કહ્યું, 'હું પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વિનંતી કરું છું કે તેઓ આવા નિવેદનો સહન કરવાને બદલે મહાયુતિ છોડી દે.' તેમજ, (અજીત જૂથ) એનસીપીના પ્રવક્તા અને વિધાન પરિષદના સભ્ય અમોલ મિતકારીએ પણ તાનાજીના નિવેદનની નિંદા કરતા તેણે તાનાજી પર મહાગઠબંધનની એકતાને નબળી કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે કહ્યું, 'અમે માત્ર ગઠબંધન ધર્મ નિભાવવા માટે ચૂપ છીએ.'

આ પણ વાંચો: મોટી ટ્રેન દુર્ઘટના સર્જવાનું કાવતરું, લોકો પાઈલટની સમજદારીથી રાજસ્થાનમાં હોનારત થતા ટળી

શરદ પવારની પાર્ટીના નેતાઓએ તાનાજીના નિવેદનની ઝાટકણી કાઢી

શરદ પવારની પાર્ટીના નેતાઓએ પણ તાનાજીના નિવેદન પર ઝાટકણી કાઢી છે. એનસીપી (એસસીપી)ના પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ કહ્યું કે, 'તાનાજીની ટિપ્પણી ગઠબંધનમાં વધતી જતી અસંતોષને દર્શાવે છે. આથી સમય આવી ગયો છે જ્યારે ભાજપ ધીમે ધીમે પરંતુ સતત અજિત પવારને મહાગઠબંધનમાંથી બહાર કાઢવામાં લાગી જશે. બીજેપી કેડર અજિત પવાર સાથે ગઠબંધન પર સવાલ ઉઠાવી રહ્યું છે. જે તેમની અંદર વધી રહેલો અસંતોષ દર્શાવે છે.'

નહીંતર ગઠબંધન તોડો...: NDAમાં ઘમસાણ વચ્ચે અજીત પવાર જૂથની ચેતવણી, શું કરશે ભાજપ? 2 - image


Google NewsGoogle News