દાદા' અને 'કાકા' ફરી કરશે ખેલ? જુઓ શરદ પવાર સાથે ગઠબંધન મુદ્દે અજીત પવારનો જવાબ

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
દાદા' અને 'કાકા' ફરી કરશે ખેલ? જુઓ શરદ પવાર સાથે ગઠબંધન મુદ્દે અજીત પવારનો જવાબ 1 - image


Ajit Pawar On Sharad Pawar: મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. નેતાઓના પક્ષ પલટાની અટકળો ચાલી રહી છે. આ દરમિયાન દરેક લોકોના મનમાં એક જ સવાલ થઈ રહ્યો છે કે, શું એનસીપીના વડા અજિત પવાર ફરી એકવાર મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા તેમના કાકા સાથે હાથ મિલાવશે કે નહીં.

મીડિયા સાથે વાત કરતાં અજિત પવારે આ સવાલનો સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું કે, 'નો કોમેન્ટ.' ત્યાર પછી તેમને પૂછવામાં આવ્યું કે, ‘મીડિયાએ  શરદ પવાર સાથે વાત કરી છે, અમે તેમને પૂછ્યું હતું કે, શું અજિત પવાર ફરી તમારી સાથે આવશે, તો તમે તેમનું સ્વાગત કરશો?’

આ અંગે અજિત પવારે કોઈ જ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા આ સવાલ ત્યારે વધુ ચર્ચાસ્પદ બન્યો, જ્યારે અજિત પવારે કહ્યું કે ‘મેં બારામતીથી મારી પત્નીને મારી પિતરાઈ બહેન સુપ્રિય સૂળે સામે ચૂંટણીના મેદાનમાં ઉતારીને ભૂલ કરી છે. પરિવાર માટે આ ખોટું હતું.’

ત્યાર બાદ અજિત પવાર ફરીથી શરદ પવાર સાથે જશે કે કેમ તેવી અટકળો શરુ થઈ ગઈ હતી. નોંધનીય છે કે, 13 ઓગસ્ટે 'જન સન્માન યાત્રા'માં  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, ‘હું મારી બધી બહેનોને પ્રેમ કરું છું. રાજકારણને ઘર અને પરિવારથી અલગ રાખવું જોઈએ. મારી બહેન સામે મારી પત્ની સુનેત્રા પવારને મેદાનમાં ઉતારીને મેં મોટી ભૂલ કરી છે.’


Google NewsGoogle News