કાનપુર, અજમેર બાદ હવે સોલાપુરમાં પણ ટ્રેન ઉથલાવવાનું કાવતરું, રેલવે ટ્રેક પર મળ્યો મોટો પથ્થર

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
કાનપુર, અજમેર બાદ હવે સોલાપુરમાં પણ ટ્રેન ઉથલાવવાનું કાવતરું, રેલવે ટ્રેક પર મળ્યો મોટો પથ્થર 1 - image


Image: Facebook

Train Accident Conspiracy in Solapur: ઉત્તર પ્રદેશના કાનપુર અને રાજસ્થાનના અજમેર બાદ હવે મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું સામે આવ્યું છે. જિલ્લાના કુર્ડુવાડી સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર સિમેન્ટનો મોટો પથ્થર મળ્યો છે. લોકો પાયલટની સાવધાનીથી દુર્ઘટના ટળી ગઈ. આ મામલે રેલવેના સીનિયર સેક્શન એન્જિનિયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સોલાપુર જિલ્લાના કુર્ડુવાડી રેલવે સ્ટેશનથી લગભગ 700 મીટર પૂર્વ દિશામાં એક સિગ્નલ પોઈન્ટની પાસે રેલવે ટ્રેક પર દુર્ઘટનાના ઈરાદે સિમેન્ટનો એક મોટો પથ્થર મૂકવામાં આવ્યો હતો. આ મામલે સીનિયર સેક્શન એન્જિનિયર કુંદન કુમારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

રેલવે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર બુધવારે રાત્રે લગભગ 8:30 વાગે કોઈ અજાણ્યા શખ્સે કુર્ડુવાડી રેલવે સ્ટેશનથી લગભગ 700 મીટરના અંતરે પૂર્વ દિશામાં ટ્રેક પર એક મોટો સિમેન્ટનો પથ્થર મૂકી દેવાયો. આ દરમિયાન લોકો પાયલટ રિયાજ શેખ અને જેઈ ઉમેશ બ્રધર ઈલેક્ટ્રિક રેલવેના ઓવરહેડ વાયરની સારસંભાળ માટે ટાવર વેગનને સોલાપુરથી કુર્ડુવાડી લાવી રહ્યાં હતાં. તેમણે ટ્રેક પર એક પથ્થર જોયો તો ટ્રેનને લગભગ 200 મીટરના અંતરે જ રોકી દીધી અને સંબંધિત રેલવે અધિકારીઓને તેની માહિતી આપી. આ મામલે પોલીસે કેસ નોંધી લીધો છે અને આગળની તપાસ કરી રહી છે.

અજમેરમાં પણ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું!

આ પહેલા રાજસ્થાનના અજમેરમાં પણ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડવાનો મામલો સામે આવ્યો છે. અજમેરના સરધનામાં રવિવાર રાતે રેલવે ટ્રેક પર 70 કિલોના સિમેન્ટના બે બ્લોક મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. રાહતની વાત એ રહી કે ટ્રેન સિમેન્ટ બ્લોકને તોડતી આગળ નીકળી ગઈ અને કોઈ મોટી દુર્ઘટના થઈ નહીં. આ અંગે કર્મચારીઓએ માંગલિયાવાસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. આ મામલે પણ પોલીસે પોતાની તપાસ શરૂ કરી દીધી છે.

કાલિંદી એક્સપ્રેસને ઉડાવવા માટે ટ્રેક પર LPG સિલિન્ડર મૂકવામાં આવ્યું

આ પહેલા કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને ઉથલાવવાનું કાવતરું સામે આવ્યું હતું. ત્યાં 8 સપ્ટેમ્બરની રાતે લગભગ 08.30 વાગે પ્રયાગરાજથી ભિવાની તરફ જતી કાલિંદી એક્સપ્રેસ ટ્રેન રેલવે લાઈન પર મૂકેલા એલપીજી સિલિન્ડર સાથે ટકરાઈ ગઈ હતી. તે બાદ બ્લાસ્ટ પણ થયો હતો. આ ઘટના અનવરગંજ-કાસગંજ રેલવે લાઈન પર બર્રાજપુર અને બિલ્હૌર સ્ટેશનની વચ્ચે થઈ હતી. આ મામલે પોલીસે એફઆઈઆર નોંધી છે અને ઘણી એજન્સીઓ તેનો ખુલાસો કરવા માટે તપાસમાં લાગી ગઈ છે.

NIA કરી રહી છે કાનપુર ઘટનાની તપાસ

કાલિંદી એક્સપ્રેસને ઉડાડવાના ષડયંત્રની પાછળ તપાસ એજન્સીઓને આતંકી સંગઠન આઈએસના ખુરાસાન મોડ્યૂલ પર શંકા ઘેરાતી જઈ રહી છે. તેથી આઈબી, એનઆઈએ, યુપી એટીએસ સહિત ઘણી એજન્સીઓ કાનપુરમાં છે અને દરેક પાસાથી ષડયંત્રની તપાસ કરી રહી છે. હાલ તપાસ એજન્સીઓને કોઈ મહત્વના પુરાવા મળ્યાં નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ લોન વુલ્ફ એટેકનો પ્રયત્ન છે.

પાકિસ્તાની ટેરર મોડ્યૂલનું કનેક્શન?

યુપી એટીએસને આ ઘટનામાં આતંકી સંગઠન આઈએસના ખોરાસાન મોડ્યૂલનો હાથ હોવાની શંકા છે. આ મોડ્યૂલને યુવકો પોતાને કટ્ટરપંથી બનાવીને હુમલાને અંજામ આપે છે. એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ મોડ્યુલના આતંકવાદી આ પ્રકારના હુમલા કરે છે. 2017માં મધ્ય પ્રદેશમાં આવા હુમલા થઈ ચૂક્યા છે. આ મોડ્યુલનો એક આતંકી સૈફુલ્લાહ લખનૌમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેની પાસેથી પણ સિલિન્ડર અને આઈઈડી મળ્યું હતું. તેમાં કટ્ટરપંથીઓની સાથે-સાથે રૂપિયા માટે હુમલાને અંજામ આપનાર પણ સામેલ થઈ શકે છે.


Google NewsGoogle News