પાન-મસાલા, ગુટકાની જાહેરાતો કરનાર 4 દિગ્ગજ ફિલ્મ સ્ટાર્સની મુશ્કેલી વધશે! હાઈકોર્ટે હાથ ધરી કાર્યવાહી
આ મામલે અગામી સુનાવણી 9મી ઓક્ટોબરે થશે
આદેશના પાલન ન કરવા પર કેન્દ્ર સામે જાહેર કરાય નોટીસ
સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા પાન મસાલા અને ગુટકાને પ્રમોટ કરનારા અમિતાભ, શાહરૂખ, અજય દેવગન સહિત ઘણા કલાકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા 22.09.22 ના રોજ આપવામાં આવેલા આદેશના પાલનમાં, કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવામાં આવી છે અને કોઈ યોગ્ય પગલાં ન લેવા બદલ દાખલ કરવામાં આવેલી અવમાનના અરજી પર તેનો જવાબ મંગાવ્યો છે.
અવમાનનાની અરજી પર તિરસ્કારની નોટિસ જારી કરવામાં આવી
અરજદાર એડવોકેટ મોતીલાલ યાદવે લખનઉ ખાતે અલાહાબાદ હાઈકોર્ટની સિંગલ જજ બેંચ સમક્ષ રૂબરૂ હાજર રહીને પદ્મ પુરસ્કાર વિજેતા, ગુટખા અને પાન મસાલા કંપનીઓ દ્વારા બનાવેલા ઉત્પાદનોને પ્રમોટ કરનારા કલાકારો સામે યોગ્ય પગલાં ન લેવા બદલ આજીજી કરી હતી. તેના પર કેન્દ્રીય કેબિનેટ સચિવ અને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીના ચીફ કમિશનરને કોર્ટના આદેશની અવમાનનાની અરજી પર તિરસ્કારની નોટિસ જારી કરવામાં આવી છે.
ચાર અઠવાડિયામાં પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું
જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની ખંડપીઠે કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીના ચીફ કમિશનર નિધિ ખરેને તિરસ્કારની નોટિસ જારી કરી છે અને તેમને ચાર અઠવાડિયામાં પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. આ અરજીમાં મોતીલાલ યાદવે કહ્યું હતું કે, પદ્મ પુરસ્કાર વિજેતા હસ્તીઓ માટે કોઈપણ સંજોગોમાં આ જાહેરાતોનો ભાગ બનવું વાજબી અને નૈતિક હોવું જોઈએ નહીં.
આગામી સુનાવણી 9મી ઓક્ટોબરે
અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, સૈફ અલી ખાન સામે કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે. આ તમામ ગુટખા કંપનીઓના ઉત્પાદનોની જાહેરાત કરે છે, બેન્ચે આગામી સુનાવણી 9મી ઓક્ટોબરે નક્કી કરી છે. આ કેસમાં, પીઆઈએલએ દલીલ કરી હતી કે ગયા વર્ષે 15 ઓક્ટોબર, 2022 ના રોજ રિપોર્ટ બંને અધિકારીઓ એટલે કે કેબિનેટ સચિવ અને ગ્રાહક સુરક્ષા પ્રાધિકરણના અધ્યક્ષને મોકલવામાં આવ્યો હતો. આ કલાકારો અને જાહેરાત કરતી કંપનીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ એક વર્ષ વીતી જવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.