આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસે બરતરફ કર્યા, પાર્ટીવિરોધી વલણ બદલ 6 વર્ષ માટે થઈ કાર્યવાહી

તેઓ હાલમાં જ પીએમ મોદીને મળ્યા હતા અને તેમના ખૂબ વખાણ કર્યા હતા

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસે બરતરફ કર્યા, પાર્ટીવિરોધી વલણ બદલ 6 વર્ષ માટે થઈ કાર્યવાહી 1 - image


Pramod Krishnam out From Congress | તાજેતરમાં અનેકવાર પાર્ટીવિરોધી નિવેદનબાજી અને વલણને કારણે કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને બહારનો રસ્તો બતાવી દીધો છે. તેમની સામે શિસ્તભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાર્ટીએ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવાની નોટિફિકેશન પણ જાહેર કરી દીધી છે. તેઓ હાલમાં જ પીએમ મોદીને મળ્યા હતા અને તેમના ખૂબ વખાણ કર્યા હતા. ત્યારબાદ અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી. 

આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસે બરતરફ કર્યા, પાર્ટીવિરોધી વલણ બદલ 6 વર્ષ માટે થઈ કાર્યવાહી 2 - image

કોંગ્રેસે બહાર પાડી નોટિફિકેશન 

કોંગ્રેસે કહ્યું કે, પક્ષ વિરુદ્ધ શિસ્તભંગ અને વારંવારના નિવેદનો આપવાની ફરિયાદો વધી જવાથી કોંગ્રેસ અધ્યક્ષે પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવાના ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને તાત્કાલિક અસરથી મંજૂરી આપી દીધી છે.

ઘણાં સમયથી કોંગ્રેસવિરોધી વલણ અપનાવી રહ્યા હતા

ઉલ્લેખનીય છે કે આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ઘણા સમયથી કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા હતા. તે પોતાની જ પાર્ટીના નેતાઓ પર નિશાન સાધતા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં કેટલાક મોટા નેતાઓ છે જે હિન્દુ શબ્દને નફરત કરે છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ એવા છે જેઓ માત્ર રામ મંદિર જ નહીં પરંતુ ભગવાન રામને પણ નફરત કરે છે.

આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસે બરતરફ કર્યા, પાર્ટીવિરોધી વલણ બદલ 6 વર્ષ માટે થઈ કાર્યવાહી 3 - image


Google NewsGoogle News