'જ્યાં તમારી બહેન-દીકરીની લાજ લૂંટાતી હોય...' મંદિર જવા અંગે AAP ધારાસભ્યનું વિવાદિત નિવેદન

કહ્યું - એવી વસ્તુઓ પર વિશ્વાસ ન કરશો જે વસ્તુ તમને નુકસાન પહોંચાડતી હોય

રાજેન્દ્ર પાલ ગૌતમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
'જ્યાં તમારી બહેન-દીકરીની લાજ લૂંટાતી હોય...' મંદિર જવા અંગે AAP ધારાસભ્યનું વિવાદિત નિવેદન 1 - image


AAP MLA Rajendra pal Gautam Viral Video | વિવાદિત નિવેદનોને કારણે અનેકવાર ચર્ચામાં રહી ચૂકેલા આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમની ફરી એકવાર જીભ લપસી છે. દિલ્હીના સીમાપુરીથી ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમે સોનીપતના લહેરાડા ગામમાં એક કાર્યક્રમમાં લોકોને સંબોધતાં કહ્યું કે એવી વસ્તુઓ પર વિશ્વાસ ન કરશો જે વસ્તુ તમને નુકસાન પહોંચાડતી હોય. 

આપ ધારાસભ્યનો વીડિયો થયો વાયરલ 

રાજેન્દ્ર પાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે તમે એવી વસ્તુઓ પર વિશ્વાસ ન કરશો જે તમને નુકસાન પહોંચાડતી હોય. એક વાત જણાવશો કે જો ક્યાંક મંદિરમાં જવાથી તમારા લોકોની હત્યા થતી હોય, જો ક્યાંક મૂર્તિને સ્પર્શ કરવાથી આપણાં યુવાઓની હત્યા કરાઈ હોય તો તમે એવી જગ્યાએ કેમ જાઓ છો જ્યાં તમારું અપમાન થતું હોય... જ્યાં તમારી બહેન-દીકરીની લાજ લૂંટાતી હોય... જ્યાં તમારી હત્યા કરી દેવાતી હોય...જ્યાં અપમાનિત થતાં હોવ ત્યાં જવાનું બંધ કરો. 

ભાજપની આકરી પ્રતિક્રિયા

આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો વીડિયો વાયરલ થતાં ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે મંદિરોમાં દલિતોને મારવામાં આવે છે... આપના ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમે ફરી એકવાર મંદિરો અને હિન્દુઓને ગાળો આપી... અગાઉ 10000 લોકોના સામૂહિક ધર્માંતરણ દરમિયાન તે લોકોને હિન્દુ ધર્મ અને હિન્દુ દેવતાઓના બહિષ્કાર કરવાના શપથ અપાવી રહ્યા હતા...કટ્ટર હનુમાન ભક્ત કેજરીવાલે વારંવાર હિન્દુ ધર્મનું અપમાન કરવા માટે તેમના પર કાર્યવાહી કરી તેમને અત્યાર સુધી પાર્ટીમાંથી કાઢી કેમ મૂક્યાં નથી? 

'જ્યાં તમારી બહેન-દીકરીની લાજ લૂંટાતી હોય...' મંદિર જવા અંગે AAP ધારાસભ્યનું વિવાદિત નિવેદન 2 - image


Google NewsGoogle News