વિધાનસભાનું અનોખું દૃશ્ય, કોંગ્રેસી MLAની વાત પર ભાજપના નેતાઓએ તાળીઓ વગાડી, જાણો મામલો

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
વિધાનસભાનું અનોખું દૃશ્ય, કોંગ્રેસી MLAની વાત પર ભાજપના નેતાઓએ તાળીઓ વગાડી, જાણો મામલો 1 - image


Image: Facebook

Sanjauli Mosque Controversy: હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજોલીમાં બનેલી મસ્જિદનો મુદ્દો ગરમાતો જઈ રહ્યો છે. બુધવારે વિધાનસભામાં સૂક્ખૂ સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી અનિરુદ્ધ સિંહે મસ્જિદ અને લવ જેહાદ પર કંઈક એવું કહ્યું કે ભાજપના ધારાસભ્ય તાળી વગાડવા લાગ્યા. અનિરુદ્ધ સિંહે મસ્જિદ નિર્માણને લઈને તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, 'શું મસ્જિદ બનાવવા માટે તંત્રની મંજૂરી લેવામાં આવી?'

તંત્ર ક્યાં ઊંઘી રહ્યું હતું? 

સુક્ખૂ સરકારના મંત્રીએ કહ્યું, 'હું કોઈ સમુદાય વિરુદ્ધ નથી પરંતુ પરવાનગી વિના તેમણે 2010માં કામ શરુ કર્યું. તે બાદ 2500 વર્ગ ફૂટનું ગેરકાયદેસર નિર્માણ કરવામાં આવ્યું. વર્ષ 2012માં તેની પર સુનાવણી થઈ. તે બાદ પણ આ લોકો માન્યા નહીં. ગેરકાયદેસર નિર્માણ ચાલતું રહ્યું. વર્ષ 2019 સુધી વધુ ચાર માળનું ગેરકાયદેસર નિર્માણ થઈ ચૂક્યું હતું. જ્યારે 2010માં કેસ ચાલી રહ્યો હતો ત્યારે 2019 સુધી ચાર માળ કેવી રીતે બન્યા? તંત્ર ક્યાં સૂઈ રહ્યું હતું?'

સંજોલીમાં મહિલાઓનું ચાલવું મુશ્કેલ

કોંગ્રેસ નેતા અનિરુદ્ધ સિંહે આગળ કહ્યું, 'વધુ એક ચોંકાવનારી વાત છે જે મસ્જિદની જમીન છે તે હિમાચલ પ્રદેશ સરકારની છે. અમારી સરકાર કોઈના વિરુદ્ધ નથી પરંતુ હું મુખ્યમંત્રીજીને આગ્રહ કરું છું કે તપાસ કરવામાં આવે કે આમાં જે પણ સામેલ છે તે ક્યાં-ક્યાંથી છે. આજે સંજોલી માર્કેટમાં મહિલાઓનું ચાલવું મુશ્કેલ થઈ ગયું છે. એવી-એવી કમેન્ટ પાસ થાય છે. હું તેનો વ્યક્તિગત સાક્ષી છું.'

લવ જેહાદને જોખમ ગણાવ્યું

અનિરુદ્ધ સિંહે આગળ કહ્યું, 'લવ જેહાદ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. આ આપણા દેશ અને પ્રદેશ માટે ખૂબ જોખમી છે. હિંસા થઈ રહી છે. શું આપણા લોકલ લોકોએ હિંસા શરુ કરી? એ પણ તપાસ કરવામાં આવે. હું મુખ્યમંત્રીજી પાસે માગ કરું છું કે હિમાચલમાં જે પણ કામ કરવા આવે તેનું વેરિફિકેશન કરવામાં આવે. મસ્જિદ મામલે રજૂઆત 7 સપ્ટેમ્બરે થવાની છે. હું તંત્રને પણ કહું છું. 14 વર્ષ થઈ ગયા. હજુ સુધી 44 રજૂઆત થઈ ચૂકી છે. તેમને એ જ ખબર નથી કે જમીન કોની છે? સરકારની જમીન પર નક્શો કેવી રીતે પાસ થઈ શકે છે? જો જમીન કબ્જાધારીની છે તો સૌથી પહેલા નક્શો રદ કરવામાં આવે. ગેરકાયદેસર નિર્માણ પર એક્શન લેવામાં આવે.' આ દરમિયાન અનિરુદ્ધ સિંહની બાજુમાં બેસેલા મંત્રી વિક્રમાદિત્ય સિંહ હસતા નજર આવ્યા.


Google NewsGoogle News