મદરેસામાં પાંચ વર્ષના બાળકની તેના જ સહપાઠીઓએ હત્યા કરી

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
મદરેસામાં પાંચ વર્ષના બાળકની તેના જ સહપાઠીઓએ હત્યા કરી 1 - image


- દિલ્હીની ઘટનાનો ભેદ ઉકેલાયો 

- વહેલા રજા મળી જાય તે માટે 11 વર્ષના ત્રણ વિદ્યાર્થીઓએ હત્યાનું કાવતરુ ઘડયું હતું 

નવી દિલ્હી : રાજધાની દિલ્હીના દયાલપુર વિસ્તારમાં આવેલા એક મદરેસા તાલીમુલ કુરાનમાં પાંચ વર્ષના વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. જેને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીની તેના જ ૧૧ વર્ષના સહપાઠીઓએ ઢોર માર મારીને હત્યા કરી નાખી હતી.

પોલીસે જણાવ્યું હતું કે મદરેસામાં વહેલા રજા મળી જાય તે માટે કેટલાક વિદ્યાર્થીઓએ મળીને એક વિદ્યાર્થીની હત્યાનું કાવતરુ ઘડયું હતું. પોલીસે હાલ ત્રણ કિશોરોને પકડીને પૂછપરછ કરી છે. મૃતક વિદ્યાર્થીના પિતા બુલંદશહેરના રહેવાસી છે. મારપીટથી મોત થયાના થોડા સમય બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ન્યાયની માગણી કરી હતી. જે બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહ કબજામાં લીધો હતો અને પીએમ માટે મોકલ્યો હતો. 

અગાઉ એવી શંકા હતી કે બીમારીને કારણે વિદ્યાર્થીનું મોત નિપજ્યું હોઇ શકે છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતક બાળકની માતાએ જણાવ્યું હતું કે અમે મદરેસાના આચાર્ય પાસેથી સમગ્ર ઘટનાની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓએ કોઇ જ જવાબ નહોતો આપ્યો. જેથી બાદમાં અમે પોલીસને ફોન કરીને બોલાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતક બાળકની માતાએ ન્યાયની માગણી કરી છે.


Google NewsGoogle News