કેન્દ્ર સરકારની નીતિઓ જ કનડગત અને ભૂલભરેલી: કરોડપતિઓના ભારત છોડવા પર જયરામ રમેશનો PM મોદી પર ગંભીર આરોપ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
કેન્દ્ર સરકારની નીતિઓ જ કનડગત અને ભૂલભરેલી: કરોડપતિઓના ભારત છોડવા પર જયરામ રમેશનો PM મોદી પર ગંભીર આરોપ 1 - image


Millionaires Leaving India: કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે માઇગ્રેશનના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને તેમણે નવા આંકડાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, સંસદમાં જાહેર કરાયેલા સરકારના પોતાના ડેટા અનુસાર, 2022માં 2 લાખ 26 હજાર ભારતીયોએ તેમના દેશની નાગરિકતા છોડી દીધી હતી. આ 2011 ના આંકડા કરતા લગભગ બમણો છે. 2011માં 1 લાખ 23 હજાર લોકોએ દેશની નાગરિકતા છોડી દીધી હતી.

કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા

કોંગ્રેસના નેતા જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે, ભારતની મોટી બિઝનેસ હસ્તીઓ દેશ છોડીને સિંગાપોર, યુએઈ, બ્રિટન અને અન્ય સ્થળોએ સ્થાયી થઈ રહી છે. આ પ્રકારનું સ્થળાંતર ચિંતાનો વિષય હોવો જોઈએ. એક ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન એડવાઇઝરી ફર્મે ખુલાસો કર્યો છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં 17,000 થી વધુ મિલિયોનેર્સે ભારત છોડી દીધું છે. આ લોકોની કુલ સંપત્તિ 10 લાખ ડોલરથી વધુ છે. આ એટલા માટે થઇ રહ્યું છે કારણ કે ટેક્સ પોલીસી અને મનમરજીના ટેક્સના કારણે ભારતના કોર્પોરેટ છેલ્લા 10 વર્ષથી ભય અને ધાકધમકી હેઠળ કારોબાર કરી રહ્યાં છે."

સ્થળાંતરની બાબતમાં ભારત ત્રીજા ક્રમે

ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ માઈગ્રેશન એડવાઈઝરી ફર્મ હેનલી એન્ડપાર્ટનર્સના રિપોર્ટ અનુસાર, 2024માં 4,300 કરોડપતિ ભારત છોડી દેશે તેમજ આ લોકો UAEમાં સ્થાયી થઈ શકે છે. રિપોર્ટ અનુસાર કરોડપતિઓના સ્થળાંતરના મામલામાં ચીન અને બ્રિટન પછી ભારત ત્રીજા સ્થાને છે.

રિપોર્ટ અનુસાર, કરોડપતિઓના મામલામાં ભારત વિશ્વમાં દસમા ક્રમે છે. 2013 અને 2023 વચ્ચે UAEમાં ભારતીય કરોડપતિઓની સંખ્યામાં 85 ટકાનો વધારો થયો છે.


Google NewsGoogle News