એક બાઇક પર સવાર પરિવારના 5 સભ્યોને ટ્રકે હવામાં ફંગોળી નાખતાં કમકમાટીભર્યા મોત

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
Truck-Bike Accident in Prayagraj, Uttar Pradesh


Truck-Bike Accident in Uttar Pradesh : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ગંભીર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. જોત જોતામાં આખા પરિવારે જીવ ખોઈ નાખ્યો છે. મૃતક પાંચેય લોકો જૌનપુરમાં રહેતા હતા અને તેઓ પ્રયાગરાજના સરાયમમરેજમાં એક લગ્ન સમારંભમાં ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. 

ટ્રકે બાઈકને ટક્કર મારતા પાંચેયના ઘટનાસ્થળે મોત

મળતા અહેવાલો મુજબ, એક જ પરિવારના પાંચ લોકો એક જ બાઈક પર લગ્ન સમારંભમાંથી પરત પરી રહ્યા હતા. આ દરમિયાન ફુલ સ્પીડે આવી રહેલી ટ્રકે તેમની બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં પાંચેયના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમણે વહિવટીતંત્રને તુરંત રાહત-બચાવ કાર્ય કરવાના આદેશ આપ્યા છે.

પાંચેય લોકો એક જ બાઈક પર પરત ફરી રહ્યા હતા

આ અકસ્માતમાં માતા, પતિ-પત્ની અને બે બાળકોના મોત થયા છે. પરિવારના પાંચેય સભ્યો સરાયમાં એક લગ્નમાં હાજરી આપી જૌનપુર પરત ફરી રહ્યા હતા. મૃતકોનું નામ વિકાસ, સુમ્મરી, દીવાના, લક્ષ્ની છે. જ્યારે એક બાળકની ઉંમર લગભગ આઠ મહિનાની હતી.

મુખ્યમંત્રી શોક વ્યક્ત કર્યો

ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પ્રયાગરાજ હોસ્પિટલ મોકલી દીધા છે. આ ઉપરાંત પોલીસે ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરવાની સાથે ટ્રક પણ જપ્ત કર્યો છે. આ દુઃખદ અકસ્માત પ્રયાગરાજ (Prayagraj)ના ગંગાનગરના સોરાંવ પેટ્રોલ પાસે થયો હતો. બીજીતરફ મુખ્યમંત્રી આદિત્યનાથે મૃતક પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.


Google NewsGoogle News