'29 OBC, 28 જનરલ, 10 SC, 5 ST, 7 મહિલા...' મોદી સરકારના એક તીરથી અનેક નિશાન

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
'29 OBC, 28 જનરલ, 10 SC, 5 ST, 7 મહિલા...' મોદી સરકારના એક તીરથી અનેક નિશાન 1 - image


Image: Facebook

Modi Cabinet 2024: દેશમાં સતત ત્રીજી વખત મોદી સરકારની શરૂઆત થઈ ગઈ છે. 9 જૂનની સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે 71 મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધાં. પીએમ મોદીની નવી કેબિનેટમાં નવી સોશિયલ એન્જિનિયરીંગ છે તો સાથે જ રાજ્યોના રાજકારણ પર ધ્યાન પણ. નવા વોટર વર્ગની સાથે કોર વોટર પર ફોકસ છે તો સાયલન્ટ વોટર મનાતી મહિલાઓનું પણ સરકારમાં પ્રતિનિધિત્વ છે. કઈ જાતિ-વર્ગથી કેટલા મંત્રી બનાવવામાં આવ્યાં છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષી ઈન્ડિયા બ્લોકની રાજનીતિના કેન્દ્રમાં રહેલા અન્ય પછાત વર્ગ (ઓબીસી) અને એસઈબીસીને મોદી મંત્રીમંડળમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ઓબીસીથી 27 અને એસઈબીસી (અત્યંત પછાત વર્ગ) થી બે, કુલ 29 મંત્રી આ વર્ગથી બનાવવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે એસઈબીસી, ઓબીસીનો જ એક પેટા વર્ગ હોય છે. ઓબીસી-ઈબીસી બાદ સામાન્ય વર્ગનો નંબર આવે છે. ભાજપનો કોર વોટર મનાતા સામાન્ય વર્ગથી 28, અનુસૂચિત જાતિ (એસસી) થી 10 અને અનુસૂચિત જનજાતિ વર્ગથી મોદી સરકારમાં પાંચ મંત્રી બનાવવામાં આવ્યાં છે. એક મંત્રી ખ્રિસ્તી સમુદાયથી પણ બનાવવામાં આવ્યાં છે.

આઠ મંત્રી બ્રાહ્મણ, બે યાદવ મંત્રી

મોદી સરકાર 3.0માં મંત્રીમંડળ દ્વારા ભાજપે જાતીય ગણિત પણ સાધ્યું છે. ભાજપનો કોર વોટર મનાતા સામાન્ય વર્ગથી 28 મંત્રી બનાવવામાં આવ્યાં છે. જાતીય આધારે આઠ બ્રાહ્મણો અને 3 રાજપૂત નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યાં છે. ભૂમિહાર, યાદવ, જાટ, કુર્મી, મરાઠા, વોક્કાલિગા વર્ગથી મોદી સરકારમાં બે-બે મંત્રી છે. બે મંત્રી શિખ સમુદાયથી પણ છે જેમાં જાટ અને પંજાબી ખત્રી સામેલ છે. કર્ણાટકના પ્રભાવશાળી લિંગાયત સમાજની સાથે જ નિષાદ, લોધ જાતિ અને મહાદલિત વર્ગથી પણ એક ચહેરાને મંત્રી બનાવવામાં આવ્યાં છે. પશ્ચિમ બંગાળના પ્રભાવશાળી મતુઆ સમાજની સાથે જ આહિર, ગુર્જર, ખાટીક અને વાણિયા વર્ગમાંથી એક-એક નેતા કેબિનેટમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યાં છે.

યુપીથી 10, બિહારથી 8 મંત્રી

રાજ્યોની દ્રષ્ટિએ જોઈએ તો બેઠકોની દ્રષ્ટિથી સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશથી પીએમ મોદી સહિત સૌથી વધુ 10 મંત્રી છે. રાજનાથ સિંહ, જિતિન પ્રસાદ, પંકજ ચૌધરી, કમલેશ પાસવાન, એસપી સિંહ બઘેલ, બીએલ વર્મા, કીર્તિવર્ધન સિંહની સાથે જ આરએલડી પ્રમુખ જયંત ચૌધરી અને અપના દળ (સોનેલાલ) ની પ્રમુખ અનુપ્રિયા પટેલને પણ મોદી સરકાર 3.0 માં મંત્રી બનાવવામાં આવ્યાં છે. કેબિનેટ બર્થના મામલે બિહાર બીજા નંબરે છે. બિહારને મોદી મંત્રીમંડળમાં આઠ મંત્રી પદ મળ્યાં છે. ભાજપના ચાર નેતાઓ-ગિરિરાજ સિંહ, નિત્યાનંદ રાય, સતીશ ચંદ્ર દુબે અને રાજભૂષણ ચૌધરીની સાથે જ જેડીયુ કોટાથી લલન સિંહ અને પૂર્વ મુખ્યમંત્રી ભારત રત્ન કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર મંત્રી બનાવવામાં આવ્યાં છે. એલજેપીના કોટાથી ચિરાગ પાસવાન અને હમ પાર્ટીના કોટાથી જીતનરામ માંઝી પણ મોદી સરકાર 3.0 માં મંત્રી બનાવવામાં આવ્યાં છે.

ગુજરાતથી અમિત શાહની સાથે જ સીઆર પાટીલ, મનસુખ માંડવિયા, નિમુબેન બાંભણિયાને મોદી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રથી પીયૂષ ગોયલ, નિતિશ ગડકરી, મુરલીધર મોહોલ અને રક્ષા ખડસેની સાથે શિવસેનાના પ્રતાપ રાવ જાધવ, આરપીઆઈ (એ) ના રામદાસ આઠવલે મંત્રી બન્યાં છે.

રાજસ્થાનથી મોદી સરકારમાં ચાર મંત્રી બનાવવામાં આવ્યાં છે. ગત સરકારમાં મંત્રી રહી ચૂકેલા ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ અને ભૂપેન્દ્ર યાદવની સાથે જ જાટ ચહેરા ભગીરથ ચૌધરીને પણ મોદી 3.0 મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશથી પાંચ મંત્રી બનાવવામાં આવ્યાં છે. શિવરાજ સિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા, સાવિત્રી ઠાકુર, દુર્ગાદાસ ઉઈકે અને વીરેન્દ્ર કુમાર.

કર્ણાટકથી ચાર, ઓડિશા-હરિયાણાથી 3-3 મંત્રી

કર્ણાટકથી મોદી મંત્રીમંડળમાં ચાર ચહેરા છે. પ્રહ્લાદ જોશીની સાથે જ શોભા કરાંદલાજે, વી સોમન્ના અને જેડીએસના એચડી કુમારસ્વામીને મંત્રી બનાવવામાં આવ્યાં છે. આંધ્ર પ્રદેશથી ભાજપના રાજુ શ્રીનિવાસ વર્મા અને ટીડીપીના ડોક્ટર ચંદ્રશેખર પેમાસાની, રામમોહન નાયડુ મંત્રી બન્યાં છે. તેલંગાણાથી જી કિશન રેડ્ડી અને બંદી સંજય તો ઓડિશાથી ધર્મેન્દ્ર પ્રધાન, જુએલ ઓરામ અને અશ્વિની વૈષ્ણવ મંત્રી બન્યાં છે. હરિયાણાથી પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટરની સાથે જ રાવ ઈન્દ્રજીત સિંહ અને કૃષ્ણપાલ ગુર્જરને મોદી મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળથી શાંતનુ ઠાકુર અને સુકાંત મજૂમદાર, આસામથી સર્બાનંદ સોનોવાલ અને પવિત્ર માર્ગેરિટા મંત્રી બન્યાં છે. કેરળમાં સુરેશ ગોપીની સાથે જ્યોર્જ કુરિયન, ઝારખંડથી અન્નપૂર્ણા દેવી અને સંજય શેઠ, પંજાબથી રવનીત સિંહ બિટ્ટુ અને હરદીપ સિંહ પુરીને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

MOSની લિસ્ટ

મોદી મંત્રીમંડળમાં આ રાજ્યોથી 1-1 મંત્રી

મોદી મંત્રીમંડળમાં છત્તીસગઢથી લઈને કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને છત્તીસગઢ સુધી, ઘણા રાજ્ય એવાં છે જ્યાંથી એક-એક મંત્રી બનાવવામાં આવ્યાં છે. છત્તીસગઢથી તોખન સાહુ, તમિલનાડુથી એલ મુરુગન, ગોવાથી શ્રીપદ નાઈક, ઉત્તરાખંડથી અજય ટમ્ટા, અરુણાચલ પ્રદેશથી કિરેન રિજિજૂ, હિમાચલ પ્રદેશથી જેપી નડ્ડાને મંત્રી બનાવવામાં આવ્યાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશોથી પણ મોદી સરકારમાં બે મંત્રી બનાવવામાં આવ્યાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીથી હર્ષ મલ્હોત્રા અને જમ્મુ કાશ્મીરથી જિતેન્દ્ર સિંહને મોદી મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

મોદી સરકારમાં સાત મહિલા મંત્રી

મોદી સરકાર 3.0 માં ભાજપના સાયલન્ટ વોટબેન્ક મહિલા વર્ગથી સાત ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગત સરકારમાં મંત્રી રહી ચૂકેલા નિર્મલા સીતારમણ અને અનુપ્રિયા પટેલની સાથે જ અન્નપૂર્ણા દેવી, શોભા કરંદલાજે, રક્ષા ગોડસે, સાવિત્રી ઠાકુર અને નિમુબેન બાંભણિયાને મંત્રી બનાવવામાં આવ્યાં છે.


Google NewsGoogle News