રામમંદિરના ગર્ભગૃહમાં બિરાજિત રામલલાની પ્રથમ તસવીર સામે આવી, જાણો કોણે બનાવી છે પ્રતિમા

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
રામમંદિરના ગર્ભગૃહમાં બિરાજિત રામલલાની પ્રથમ તસવીર સામે આવી, જાણો કોણે બનાવી છે પ્રતિમા 1 - image


Ayodhya Ram mandir News | અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે અને આમંત્રણ પત્રો પણ મોકલી દેવાયા છે. હવે દેશભરના રામ ભક્તો બસ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે અને ભગવાન રામના દર્શન થશે. આ પહેલા ગુરૂવારે ગર્ભગૃહમાં ભગવાન રામલલાની પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. મંદિરના ગર્ભગૃહમાં બિરાજિત રામલલાની પ્રથમ તસવીર પણ સામે આવી છે.

રામલલા થયા સ્થાપિત, કોણે બનાવી હતી આ પ્રતિમા?  

ગર્ભગૃહમાંથી જાહેર કરાયેલી રામલલાની તસવીરમાં રામ મંદિરના નિર્માણમાં લાગેલા મજૂરો હાથ જોડીને પ્રાર્થના કરતા પણ જોઈ શકાય છે. આ પ્રતિમા કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણશિલામાં તૈયાર કરવામાં આવી છે. મૈસુરના પ્રખ્યાત શિલ્પકારોની પાંચ પેઢીની પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા અરુણ યોગીરાજ હાલમાં દેશમાં સૌથી વધુ ડિમાંડ ધરાવતા શિલ્પકાર છે. અરુણની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી હતી. તેમના પિતા યોગીરાજ પણ કુશળ શિલ્પકાર હતા. તેમના દાદા બસવન્ના શિલ્પી મૈસુરના રાજા દ્વારા સુરક્ષિત હતા.

ક્રેનની મદદથી મૂર્તિ ગર્ભગૃહમાં પહોંચાડાઈ 

રામલલાની મૂર્તિને પગથિયાં પર સ્થાપિત કરવામાં કુલ ચાર કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ભગવાન રામની આ મૂર્તિને મંત્રોચ્ચાર અને પૂજાની વિધિઓ સાથે આસન પર મૂકવામાં આવી હતી. આ દરમિયાન શિલ્પકાર યોગીરાજ અને ઘણા સંતો પણ હાજર હતા. હવે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને ક્રેનની મદદથી રામ મંદિર પરિસરની અંદર લાવવામાં આવી હતી. તેની કેટલીક તસવીરો પણ સામે આવી હતી. 

રામમંદિરના ગર્ભગૃહમાં બિરાજિત રામલલાની પ્રથમ તસવીર સામે આવી, જાણો કોણે બનાવી છે પ્રતિમા 2 - image


Google NewsGoogle News