Get The App

પહલગામ આતંકી હુમલો: જમ્મુ-કાશ્મીર સરકારે મૃતકોના પરિજનોને રૂ. 10-10 લાખની સહાય જાહેર કરી

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
પહલગામ આતંકી હુમલો: જમ્મુ-કાશ્મીર સરકારે મૃતકોના પરિજનોને રૂ. 10-10 લાખની સહાય જાહેર કરી 1 - image


Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે (22 એપ્રિલ) મોટો આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 28 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર સરકારે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિજનોને 10-10 લાખ રૂપિયા તથા ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયા તેમજ સામાન્ય ઘાયલોને 1-1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું એલાન કર્યું છે.


'કોઈ વળતર નુકસાનની ભરપાઈ ન કરી શકે'

નિર્દોષ નાગરિકો સાથે ક્રૂરતાના આ બર્બર અને મૂર્ખતાપૂર્ણ કૃત્ય માટે આપણા સમાજમાં કોઈ સ્થાન નથી. અમે તેની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. અમે ગુમાવેલા અનમોલ જીવન માટે શોક વ્યક્ત કરીએ છીએ.

મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈપણ વળતર પ્રિયજનોના નુકસાનની ભરપાઈ ન કરી શકે, પરંતુ સમર્થન અને એકજુટતાના પ્રતીકના રૂપમાં, જમ્મુ-કાશ્મીર સરકાર મૃતકોના પરિવાર માટે 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરીએ છીએ.  મુખ્યમંત્રીએ ગંભીર રૂપથી ઇજાગ્રસ્તો માટે 2 લાખ રૂપિયા અને સામાન્ય ઘાયલોને 1 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. 

ઉમર અબ્દુલાએ કહ્યું કે, મૃતકોના પાર્થિવ શરીરને સન્માનજનક રીતે તેમના ઘર સુધી પહોંચાડવા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ મેડિકલ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. અમારી સંવેદનાઓ આઘાતમાં ડૂબેલા પરિવારો સાથે છે. આ દુખની ઘડીમાં તમારી સાથે ઊભા છીએ. 

Tags :