મરાઠા આરક્ષણ માટે યુવકે ઝેર પી કૂવામાં ઝંપલાવ્યું

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
મરાઠા આરક્ષણ માટે યુવકે ઝેર પી કૂવામાં ઝંપલાવ્યું 1 - image


મુંબઈ :  ઉપવાસ-આંદોલનો કર્યા છતાં મરાઠા સમાજને આંદોલન મળતું ન હોવાથી હતાશ થયેલા કન્નડ તાલુકાના દેવગાંવ-રંગારીના સંજય સોનાવણે નામના યુવકે ઝેરી દવા પીને કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મૃતક યુવાન મનોજ જરાંગેએ સપ્ટેમ્બરમાં ઉપવાસ કર્યા હતા ત્યારે તેની સાથે આમરણ ઉપવાસ આંદોલનમાં જોડાયો હતો. આરક્ષણની માગણી સાથે અત્યાર સુધીમાં લગભગ દસ યુવકોએ આત્મહત્યા કરી છે.



Google NewsGoogle News