તળાવમાં વિસર્જન વખતે જ આંચકી આવતાં યુવક ડૂબી ગયો

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
તળાવમાં વિસર્જન વખતે જ આંચકી આવતાં યુવક ડૂબી ગયો 1 - image


વિરાર ઈસ્ટના ટોટાળે તળાવ ખાતે કરુણ ઘટના

મંગળવારે વિસર્જન માટે ઘરેથી નીકળ્યો હતો, બુધવારે સવારે દુર્ઘટના સર્જાઈ

મુંબઈ :  વિરાર-ઈસ્ટના ટોટાળે તળાવમાં ગણેશ વિસર્જન માટે ગયેલા એક યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ૨૪ વર્ષીય યુવક અમિત મોહિતને વિસર્જન વખતે જ આંચકી આવી હતી અને તેથી તે તળાવમાં ડૂબી ગયો હતો. 

વિરાર-ઈસ્ટના ફુલપાડા વિસ્તારમાં અમિત મોહિતે રહે છે. મંગળવારે, અનંત ચતુર્થીના દિવસે ગણેશ વિસર્જન માટે ગયા હતા. બુધવારે સવારના સુધી વિસર્જન ચાલુ રહી હતી. એ વખતે અમિત વિરારનાટોટાળેતળાવમાં વિસર્જન માટે ગયો હતો.આ સમયે અમિતને ફીટ આવી ગઈ હતી અને તે પાણીમાં પડી ગયો હતો. આ દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ફાયર બ્રિગ્રેડના જવાનોની મદદથી તેના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.પોલીસે માહિતી આપી હતી કે, આ બનાવમાં વિરાર પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ લઈને તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News