અભ્યાસ બાબતે ટકોર કરતાં તરુણે 16મા માળેથી ઝંપલાવ્યું

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
અભ્યાસ બાબતે ટકોર કરતાં તરુણે 16મા માળેથી ઝંપલાવ્યું 1 - image


માતાએ દાદીને ફરિયાદ કરી હતી

મીરા રોડનો 17 વર્ષીય અયાન ધો. ૧૧માં અભ્યાસ કરતો હતો

મુંબઈ :  મીરા રોડ વિસ્તારમાં ૧૭ વર્ષનો પુત્ર ભણવામાં ધ્યાન આપતો નથી તેવી ફરિયાદ માતાએ દાદીને કરતાં ગુસ્સે ભરાયેલા તરુણે ૧૬મા માળે આવેલાં ઘરની બાલ્કનીમાંથી ઝંપલાવી દીધું હતું. 

અયાન તથા તેનો પરિવાર નોર્થ ગાર્ડનમાં ૧૬મા માળે રહે છે. પરિવારમાં માતા પિતા ઉપરાતં બે નાની બહેનોનો પણ સમાવેશ થાય છે. 

સ્થાનિક કોલેજમાં ધો. ૧૧માં ભણતા અયાનનું ભણવામાં ધ્યાન નથી અન ેતે બહાર આમતેમ ભટકયા કરે છે તેવી માતાની ફરિયાદ હતી. સોમવારે દાદીનો ફોન આવતાં માતાએ આ જ ફરિયાદ દોહરાવી હતી કે તે ભણવા બેસતો નથી અને બહાર રખડતો રહે છે. 

આ વાતે ગુસ્સે ભરાયેલા અયાને તરત જ ગ્રીલ વગરની બાલ્કનીમાંથી નીચે કૂદકો મારી દીધો હતો. ગંભીર ઈજાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. 

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી છવાઈ છે.



Google NewsGoogle News