તનુજાને આઈસીયુમાં ખસેડાયા બાદ હાલત સુધારા પર

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
તનુજાને આઈસીયુમાં ખસેડાયા બાદ હાલત સુધારા પર 1 - image


રવિવારે રાતે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી

વહેલી તકે રજા મળે તેવી સંભાવનાઃ કાજોલના ચાહકોએ ચિંતા વ્યક્ત કરી

મુંબઇ :  ૮૦ વર્ષીય પીઢ અભિનેત્રી તનુજાને રવિવારે સાંજે શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આઈસીયુમાં સારવાર બાદ સોમવારે તેની હાલત સુધારા પર હોવાનું જણાવાયું હતું. 

પીઢ અભિનેત્રીની તબિયત રવિવારે અચનાન જ બગડી ગઇ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી તેને આઇસીયુમાં સારવાર આપવામાં આવી હતીે. જોકે તેના સ્વાસ્થ્યમાં  બાદમાં ઝડપભેર સુધારો નોંધાયો હતો. 

કાજોલની માતા તનુજાને હોસ્પિટલમાં ખસેડાઈ હોવાના સમાચાર પ્રસરતાં જ કાજોલના ચાહકોમાં ચિંતાની લાગણી વ્યાપી હતી. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર તનુજા ઝડપભેર સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. 

કાજોલ અવારનવાર અનેક ઈવેન્ટસમાં  તનુજાની સાથે જોવા મળે છે. તે તેની સારસંભાળ રાખે છે. થોડા સમય પહેલાં કાજોલે અલીબાગમાં તનુજાના નામે પ્રોપર્ટીમાં રોકાણ પણ કર્યુ ંહતું.



Google NewsGoogle News