રશ્મિકા મંદાના માઈનોર એક્સીડેન્ટ બાદ રિકવર થઈ

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
રશ્મિકા મંદાના માઈનોર એક્સીડેન્ટ બાદ રિકવર થઈ 1 - image


આરામમાં હોવાથી જાહેરમાં દેખાતી ન હતી

આરામ દરમિયાન બહુ બધા લાડુઓ ઝાપટયા હોવાનું કબૂલ કર્યું જિંદગી ક્ષણભંગુર હોવાનો અહેસાસ

મુંબઈ :  નેશનલ ક્રશ ગણાતી અભિનેત્રી રશ્મિકા  મંદાનાને માઈનોર એક્સીડેન્ટ થયો છે. રશ્મિકાએ ખુદ આ માહિતી જાહેર કરી છે. જોકે, તેણે શું એક્સીડેન્ટ થયો કે ક્યાં અને ક્યારે થયો તે જાહેર  કર્યું નથી. જોકે, હવે તે સંપૂર્ણ રિકવર થઈ ચૂકી છે. 

રશ્મિકાએ ેક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે આ એક્સીડેન્ટના કારણે પોતે આરામ કરી રહી હોવાથી જાહેરમાં દેખાઈ ન હતી અને  થોડા સમયથી સોશિયલ મીડિયાથી પણ બ્રેક  લીધો હતો. ડોક્ટરોે સંપૂર્ણ આરામની સલાહ આપી હતી. પરંતુ પોતે આ આરામના દિવસો દરમિયાન બહુ બધા લાડુ ઝાપટયા હોવાનું પણ તેણે જણાવ્યું હતું. રશ્મિકાએ તેના ચાહકોને ખુશ ખબર આપતાં કહ્યું હતું કે હવે પોતે રિકવર થઈ ગઈ છે. 

જોકે, સાથે સાથે તેણે ચાહકોને આરોગ્ય બાબતે સભાન રહેવાની ભલામણ પણ કરી છે. તેણે લખ્યું છે કે જિંદગી ખરેખર ક્ષણભંગુર છે અને કાલે આપણે હોઈશું કે નહિ તેનો કોઈ ભરોસો નથી. આથી રોજેરોજમાં ખુશી માણી લેવી જોઈએ.



Google NewsGoogle News