પોલીસ મથકે બલિ માટે બકરો લાવતાં પીએસઆઈ સસ્પેન્ડ, 8 જવાનોની બદલી

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
પોલીસ મથકે બલિ માટે બકરો લાવતાં પીએસઆઈ સસ્પેન્ડ, 8 જવાનોની બદલી 1 - image


બકરા સાથેના ફોટા વાયરલ થતાં પોલીસ તંત્રમાં ધમાધમ

લાતુરના પોલીસ મથક  વિસ્તારમાં ગુનાખોરી ઘટે તે માટે બલિનો દાવો, અન્ય દાવા અનુસાર અધિકારીએ નવું વાહન ખરીદ્યું તેની પાર્ટી હતી

મુંબઇ :  લાતુરના ઉદ્ગીર પોલીસ સ્ટેશનમાં એક બકરાની  કથિત રીતે બલિ આપવામાં આવી હતી. આ ઘટના બાદ સ્થાનિક એસ.પી.એ તપાસ અહેવાલના આધારે એક સબ-ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કર્યા  હતા અને આઠ કોન્સ્ટેબલની બદલી કરી નાંખી હતી. એવું કહેવાય છે કે આ વિસ્તારમાં  ગુનાખોરી ઘટે તે માટે બકરાની બલિ આપવામાં આવી હતી. જોકે એક થિયરી એવી પણ રજૂ ક રવામાં આવી રહી છે કે એક અધિકારીએ નવું વાહન લીધુ ંહતું તેની ખુશીમાં 'પાર્ટી' આપવા બકરાની બલિ આપવામાં આવી હતી. આ ઘટના બહાર આવતા જ રાજ્યના ડીસીએમ અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પ્રકરણે તપાસ સહિત કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર બે દિવસ પહેલા લાતૂર જિલ્લાના ઉદ્ગીર પોલીસ સ્ટેશનમાં એક  પોલીસ બસ-ઇન્સ્પેકટર અને અમૂક કોન્સ્ટેબલનો એક બકરા સાથેનો ફોટો સોશિયલ મીડિયા અને ન્યૂઝચેનલો પર વાયરલ થયો હતો. આ સાથે જ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ પોલીસ મથકના વિસ્તારમાં ગુનાખોરી ઘટે તેવા આશય સાથે આ બકરાનો બલિ આપવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક એસ.પી. સૌમ્ય મુંડેએ એક અધિકારીને આ બાબતની સચ્ચાઇ જણાવવા અને અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું જેમાં આ ઘટનાને અંધશ્રદ્ધા સાથે કાંઇ લેવા-દેવા નહોતા પણ એખ અધિકારીએ નવી કાર ખરીદી હોવાથી તેની ખુશીમાં 'પાર્ટી' આપવા આ બકરો લાવવામાં આવ્યો હતો અને તેની બલિ આપવામાં આવી હતી.

આ બાબતના અહેવાલો સતત માધ્યમોમાં ફરતા થતા અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાની તપાસનો આદેશ આપી કાર્યવાહી કરવા જણાવતા અંતે કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકરણે  સબઇન્સ્પેકટર આનંદ શ્રમંગલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આઠ પોલીસ કર્મચારીની બદલી જિલ્લા પોલીસ મુખ્યાલયમાં કરવામાં આવી હતી.



Google NewsGoogle News