મારાં લગ્ન મારી મરજીનો વિષય છે, બીજા કોઈએ પંચાત કરવી નહીં : સોનાક્ષી સિંહા

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
મારાં લગ્ન મારી મરજીનો વિષય છે, બીજા કોઈએ પંચાત કરવી નહીં : સોનાક્ષી સિંહા 1 - image


પિતા શત્રુધ્ન અને ભાઈ લવનાં લગ્ન વિશે અજાણ હોવાના નિવેદનો  બાદ  પ્રત્યાઘાત

સોનાક્ષી અને ઝહિરે લગ્ન રજિસ્ટર્ડ કરાવી દીધાં છે અને 23મીએ માત્ર પાર્ટી જ છે તેવો પણ દાવો, અન્ય દાવા અંગે 23મીએ જ રજિસ્ટર્ડ મેરેજ

મુંબઇ :  મારાં લગ્ન મારી મરજીનો વિષય છે અને તેમાં બીજા કોઈએ પંચાત કરવાની જરુર નથી તેવું સોનાક્ષી સિંહાએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે. દીકરીનાં લગ્નના પ્લાન વિશે પોતે અજાણ છે તેવાં પિતા શત્રુધ્ન સિંહાના નિવેદન તથા આ લગ્ન અંગે મારે કશું લાગતું વળગતું નથી તેવાં ભાઈ લવ સિંહાના નિવેદના બાદ સોનાક્ષીએ આ પ્રત્યાઘાત આપ્યો હોવાનું મનાય છે. બીજી તરફ કેટલાક અહેવાલો અનુસાર સોનાક્ષી અને તેનો બોયફ્રેન્ડ ઝહિર ઓલરેડી લગ્ન રજિસ્ટર્ડ કરાવી ચૂક્યાં છે અને તા. ૨૩મીએ તો માત્ર તેની પાર્ટી છે. જ્યારે કેટલાક અહેવાલો અનુસાર તા. ૨૩મીએ સવારે તેઓ લગ્ન રજિસ્ટર્ડ કરાવશે અને બાદમાં સાંજે પાર્ટી યોજશે. 

સોનાક્ષીએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારાં લગ્ન વિશે કોઈએ ઝાઝી પંચાત કરવાની જરુર નથી. મને ખબર નથી કે લોકોને મારા લગ્નની કેમ આટલી ચિંતા છે, શા ાટે તેઓ મારા પેરેન્ટસને આ  વિશે સવાલો કરે છે. મને આ બધી વાતોતી હસવું આવે છે. પરંતુ હવે મને આ બધી વાતોની આદત પડી ગઈ છે. લોકોને આ વિશે જિજ્ઞાાસા છે અને તેમાં હું કશું કરી શકું તેમ નથી. 

એક અહેવાલ અનુસાર સોનાક્ષી અને ઝહિર લાંબા સમયથી લિવ ઈનમાં રહે છે. તેઓ પોતાનાં મેરેજ રજિસ્ટર્ડ કરાવી ચૂક્યાં છે. હવે તાં. ૨૩મીએ માત્ર  પાર્ટી યોજવાના છે જેમાં બોલીવૂડમાંથી ગણ્યાગાંઠયા લોકોને આમંત્રણ અપાયું છે. 

અન્ય અહેવાલો અનુસાર તેઓ તા. ૨૩મીએ મેરેજ રજિસ્ટર્ડ કરાવશે. સાંજે પાર્ટી છે.  તેમાં સોનાક્ષીની તાજેતરની વેબ સીરિઝ 'હીરા મંડી'ની સમગ્ર ટીમને આમંત્રણ છે. આ ઉપરાંત આયુષ શર્મા, અર્પિતા, હુમા કુરેશી સહિતના મિત્રો પણ સામેલ છે. અર્પિતા ખાન તો બહુ લાંબા સમય પહેલાં સોનાક્ષીને ભાભીનું સંબોધન કરી ચૂકી છે.



Google NewsGoogle News