કિંગ ચાર્લ્સને કેન્સનું નિદાન થતા મુંબઈના ડબ્બાવાળાઓ ભાવુક બન્યા

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
કિંગ ચાર્લ્સને કેન્સનું નિદાન થતા મુંબઈના ડબ્બાવાળાઓ ભાવુક બન્યા 1 - image


ડબ્બાવાળાઓ અને કિંગ ચાર્લ્સની જૂની મૈત્રી

ડબ્બાવાળાઓએ કિંગ ચાર્લ્સને સારુ સ્વાસ્થ્ય આર્પેે તે માટે ભગવાનની પ્રાર્થના પણ કરી

મુંબઈ  :  બ્રિટનના કિેંગ ચાર્ર્લ્સ ત્રીજાને કેન્સર હોવાનું નિદાન થયાના સમાચાર આવતા જ મુંબઈના ડબ્બાવાળાઓ ભાવુક થઈ ગયા હતા અને કિંગ ચાર્લ્સને સારુ સ્વાસ્થ્ય મળે તે માટે ડબ્બાવાળાઓએ ભગવાનને પ્રાર્થના પણ કરી હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ, બ્રિટનના કિંગ ચાર્લ્સ ત્રીજાને  કેન્સરનું નિદાન થયાનું જાણીને  મુંબઈના ડબ્બાવાળાઓ ભાવુક થઈ ગયા હતા અને કિંગ ચાર્લ્સને સારુ સ્વાસ્થ્ય મળે તે માટે  ડબ્બાવાળાઓએ ભગવાને પ્રાર્થના પણ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, મુંબઈના ડબ્બાવાળાઓ અને કિગ ચાર્લ્સ સાથે જુનો પરિચય છે. આ પહેલા પણ કિંગ ચાર્લ્સના લગ્ન હતા તેમાં મુંબઈના ડબ્બાવાળાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પછી, જ્યારે કિંગ ચાર્લ્સે બ્રિટીશ શાહી પરિવારની ગાદી સંભાળી, ત્યારે પણ મુંબઈ ડબ્બાવાળાઓ આ કાર્યક્રમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું હતું.



Google NewsGoogle News