પુણે-નાશિક હાઇવે પર ધૂમ્મસના લીધે જીપનો અકસ્માત : 3નાં મોત

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
પુણે-નાશિક હાઇવે પર ધૂમ્મસના લીધે જીપનો અકસ્માત : 3નાં મોત 1 - image


જીપ આગળ જઇ રહેલા ટ્રક નીચે ઘૂસી ગઇ

મુંબઇ :  પુણે- નાશિક હાઇવે પર આજે ધુમ્મસના લીધે જીવલેણ અકસ્માત થયો હતો. જીપ અને ટ્રકની અથડામણમાં એક જ પરિવારના ત્રણ જણ મોતને ભેટયા હતા. જ્યારે પાંચને ઇજા થઇ હતી. ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે. 

નાશિકના સટાણા તાલુકામાં જાયખેડા ખાતે રહેતા પંકજ જગતાપ (ઉં.વ.૩૬), મધુકર અહિરે (ઉં.વ.૫૨), શાંતારામ અહિરે (ઉં.વ.૫૦)નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે  તેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.

પુણેમાં આંબેગાવ તાલુકાના મંચર પાસે આજે વહેલી સવારે ધુમ્મસ છવાઇ ગયું હતું જેના લીધે જીપનો ડ્રાઇવર આગળનો રસ્તો બરાબર જોઇ શક્યો ન હતો એમ કહેવાય છે.

જીપ આગળ જઇ રહેલા ટ્રક સાથે ટકરાઇ હતી. ટ્રક નીચે જીપ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં જીપને ભારે નુકસાન થયું હતું.



Google NewsGoogle News