જેક્લિન પૂજા કરવા માટે કેદારનાથ મંદિરે પહોંચી
ઓઢેલાં માથે અને તિલક સાથેના ફોટા વાયરલ
તાજેતરમાં સુકેશે જેક્લિનનાં ક્ષેમકુશળ માટે નવરાત્રિના ઉપવાસ રાખવાનું જાહેર કર્યું હતું
મુંબઇ : જેકલિન ફર્નાન્ડિસ હાલ પોતાની કારકિર્દી કરતાં અંગત જીવનને કારણે ચર્ચામાં છે. તેનો પ્રેમી ઠગ સુકેશ તેને જેલમાંથી પ્રેમપત્રો લખ્યા કરે છે. જેની ચર્ચા સોશયલ મીડિયા પર થતી હોય છે. હવે હાલમાં અભનેત્રી કેદારનાથના મંદિરમાં પૂજા-અર્ચના કરવા પહોંચી હતી જેની તસવીરો સોશયલ મીડિયા પર વાયરલ થઇ છે.
જેકલિન હેલીકોપ્ટર દ્વારા કેદારનાથ પહોંચી હતી.મંદિરમાં તેણે શ્રદ્ધાથી દર્શન કરી કેદાર બાબાના આશીર્વાદ લીધા હતા.વાયરલ થયેલી તસવીરમાં તે માથે ઓઢેલી અને કપાળે ચંદન લગાડેલી જોવા મળે છે.મંદિરની સમિતી તરફતી અભિનેત્રીને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. તેની સાથે મંદિર સમિતીના લોકો જોવા મળ્યા હતા.
હાલમાં જ જેક્લિન પોતાની પ્રેયસી હોવાનો દાવો કરતા ઠગ સુકેશ ચન્દ્રશેખરે જેક્લિનને તિહાર જેલમાંથી વધુ એક પ્રેમપત્ર પાઠવ્યો હતો. તેમાં તેણે લખ્યું હતું કે પોતે પોતાના તથા જેક્લિનની આસપાસ ઊભા થયેલા નકારાત્મક વાતાવરણને દૂર કરવા માટે નવરાત્રિમાં ઉપવાસ રાખશે. તેણે એમ પણ લખ્યું હતું કે ટૂંક સમયમાં સત્ય બહાર આવશે અને તે અને જેક્લિન ફરીથી સાથે હશે.