7મા દિવસે 800થી વધુ પ્રતિમાઓનું વિસર્જન
મુંબઈ : મુંબઈમાં ગણેશોત્સવ દરમિયાન આજે સાતમા દિવસે ગણેશ ભક્તોએ ધામધૂમથી શહેરના કુદરતી વિસર્જન સ્થળો અને કૃત્રિમ તળાવમાં ગણેશ મૂર્તિઓનું વિસર્જન કર્યું હતુ. આજે સાતમા દિવસે સાંજે ૬ વાગ્યા સુધી કુલ ૮૨૭ ગણેશમૂર્તિનું વિસર્જન કરાયું હોવાનું મુંબઈ મહાનગર પાલિકાએ જણાવ્યું હતું.
આજે વિસર્જન કરાયેલા સાંજે ૬ વાગ્યા સુધી ૮૨૭ ગણેશમૂર્તિ પૈકી ગૃહ સ્થાપન કરાયેલી ૭૮૮, સાર્વજનિકના ૨૩, અને ગૌરીની ૧૬ મૂર્તિનો સમાવેશ થાય છે.
જ્યારે કૃત્રિમ તળાવમાં ૩૦૬ ગણેશ મૂતિઓનું વિસર્જન થયું હતું. એમાં ગૃહ સ્થાપનના ૨૯૮, સાર્વજનિક મંડળોના ૦૨, અને ગૌરીનું ૦૬, ગૌરીની મૂર્તિનું વિસર્જનનો સમાવેશ થાય છે.