Get The App

અરીહાને મહિને 1વાર મળવા દેવાની માતાપિતાને જર્મન સત્તાધીશોની મંજૂરી

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
અરીહાને મહિને 1વાર મળવા દેવાની માતાપિતાને જર્મન સત્તાધીશોની  મંજૂરી 1 - image


મુંબઈના જૈન પરિવારની માસુમ બાળકીને માતાપિતાથી  વિખૂટી પાડી દેવાઈ છે

અરીહાને  મંદિરે લઈ જવા,  જૈન રીતરીવાજ તથા ગુજરાતી ભાષાથી પણ વાકેફ  કરાવાય છે તેવો વિદેશ મંત્રાલયનો દાવો

મુંબઇ :  જર્મનીના ફોસ્ટર હોમ (પાલન કેન્દ્ર)માં રાખવામાં આવેલી જૈન પરિવારની અરીહા  નામની બાળકીને મહિનામાં એક વાર મળવાની તેના માતા-પિતાને જર્મનીની કોર્ટે છૂટ આપી છે.

જર્મનીમાં જ નોકરી કરતા મૂળ  ભાયંદરના રહેવાસી પતિ-પત્ની ભાવેશ અને ધારા શાહને  બાળકીને તેમનાથી વિખૂટી પાડી સપ્ટેમ્બર ૨૦૨૧માં ફોસ્ટર હોમને ઉછરે માટે  સોંપવામાં  આવી હતી. હવે જર્મન અદાલતે માતા-પિતાને સાડાત્રણ વર્ષની થયેલી તેમની દીકરરીને મહિનામાં એક વાર મળવાની છૂટ આપી છે એવી માહિતી વિદેશ મંત્રાલયે આપી હોવાનું થાણેના સાંસદ નરેશ મ્હસ્કેએ જણાવ્યું હતું.  આ ઉપરાંત અરીહાને ભારત પાછા લાવવાના પણ વિદેશ મંત્રાલયના પ્રયાસો યથાવત છે એમ તેમણે કહ્યું હતું. 

વિદેશ મંત્રાલયના દાવા અનુસાર સાડા ત્રણ વર્ષની  આ બાળકીને જર્મન સંસ્થા દ્વારા મંદિરે પણ લઈ જવાય છે અને તેને જૈન રીતરિવાજો તથા માતૃભાષા ગુજરાતીથી વાકેફ પણ કરાવાઈ રહી છે. 

અત્રે એ યાદ રાખવું ઘટે કે નોકરી માટે જર્મની આવેલા પતિ-પત્નીની આ બાળકી માત્ર છ મહિનાની હતી ત્યારે તેને માર મારવામાં આવ્યાની શંકાને આધારે જર્મનીની કોર્ટે બાળકીને  યુથ વેલ્ફેર ઓથોરિટીને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નીચલી અદાલતે આપેલા આ આદેશને બર્લિન કોર્ટ ઓફ અપીલ દ્વારા જુલાઇ ૨૦૨૪માં  બહાલી આપવામાં આવી હતી, એમ વિદેશ મંત્રાલય સાથે થયેલા પત્ર વ્યવહારને ટાંકીને મ્હસ્કેએ જણાવ્યું હતું.



Google NewsGoogle News