દાઉદના સાગરીતે મોદી, યોગીની હત્યા કરવાનો આદેશ આપ્યો છે

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
દાઉદના સાગરીતે મોદી, યોગીની હત્યા કરવાનો આદેશ આપ્યો છે 1 - image


મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૃમમાં ધમકીભર્યો ફોન

જે.જે.હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટની પણ ધમકી આપીઃ સાયનના ન્યૂ મહાડા કોલોનીના યુવકની ધરપકડ

મુંબઈ :  ઈન્ટરનેશનલ ટેરરિસ્ટ દાઉદ  ઈબ્રાહિમના સાથીદારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની હત્યા કરવા કહ્યું છે એવો મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોન કરનારા યુવકે પકડવામાં આવ્યો છે. આ સિવાય આરોપીએ જે.જે. હોસ્પિટલ ઉડાવી દેવાની દમકી પણ આપી હતી. પોલીસે  આ મામલે કેસ નોંધી વધુ તપાસ આદરી છે.

સાયન સ્થિત ન્યૂ મ્હાડા કોલોની વિસ્તારમાં રહેતા કામરાન આમીર ખાને (ઉ.વ.૨૯) રવિવારે મુંબઈ પોલીસના મુખ્ય કન્ચ્રોલ રૃમનો સંપર્ક કર્યો હતો. આ યુવકે પોલીસને ફોન પર ધમકી આપતા જણાવ્યું હતું કે દાઉદ ઈબ્રાહિમના સાથીદારે તેને મોદી અને યોગીની હત્યા કરવા કહ્યું છે. તેમ જ જે.જે. હોસ્પિટલમાં પોતાની નતબીબી તપાસણી કરવામાં નહીં આવે તો હોસ્પિટલમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે.

આ કોલની માહિતી સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવી હતી.

પોલીસે માહિતી અને ટેકનોલોજીની મદદથી આરોપીની માહિતી મેળવી હતી. પછી તેની ઘરમાંથી ધરપકડ  કરવામાં આવી હતી.

પોલીસને સતત ધમકીભર્યા ફોન આવતા હોવાથી પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. મુંબઈ હંમેશા આતંકવાદીઓના નિશાન પર હોય છે  પોલીસ આવા દરેક ધમકીભર્યા ફોનની ઝીણવટભરી તપાસ કરે છે. મોટાભાગના મામલામાં ફોન પર મળેલી ધમકી અફવા પુરવાર થાય છે.



Google NewsGoogle News