ગોવાથી મુંબઈ આવતી બસ પલ્ટી ગઈ, 1 પરિવારના 3ના મોત

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
ગોવાથી મુંબઈ આવતી બસ પલ્ટી ગઈ, 1 પરિવારના 3ના મોત 1 - image


અકસ્માતમાં નવ પ્રવાસી ઘાયલ 

પ્રવાસીઓ રાતે ભર ઉંઘમાં હતા ત્યારે દુર્ઘટના, 9 પ્રવાસીઓ ઘાયલ

મુંબઇ :  ગોવાથી મુંબઈ આવી રહેલી બસ રાતે પ્રવાસીઓ સૂતા હતા ત્યારે કોલ્હાપુરમાં પલટી ખાઈ જતા એક જ કુટુંબના ત્રણ જણ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં નવ જણને ઇજા થઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

ગોવાના પણજીથી આવી રહેલી સ્લીપર કોચ બસમાં પચ્ચીસ જણ પ્રવાસ કરી રહ્યા હતા. કોલ્હાપુર નજીક રાધાનગરી રોડ પર યુઇખડી ગામ નજીક ગઈ કાલે રાતે બે વાગ્યે ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ પલટી ખાઈ જતા પ્રવાસીઓ દબાઈ ગયા હતા.

આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ, પોલીસની ટીમ દદ માટે પહોંચી ગઈ હતી. તેઓ પ્રવાસીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.

પુણેના માંજરી બુદ્રુકમાં રહેતા એક જ પરિવારના નીલુ ગૌતમ (ઉં. વ. ૪૩), રિદ્ધિમા ગૌતમ (ઉં. વ. ૧૭), સાર્થક ગૌતમ (ઉં. વ. ૧૩)નું મૃત્યુ થયું હતું.

કરવીર પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ આદરી છે.

નોંધનીય છે કે દેવકોડગામમાં ગઈ કાલે મિની બસ પલટી ખાઈ જતા ત્રણ પ્રવાસીને ગંભીર અને ૧૫ જણને નજીવી ઈજા થઈ હતી. આ તમામ પ્રવાસી થાણે નજીક શહાપુરના રહેવાસી હતા. મિની બસમાં ત્રણ કુટુંબ કોલ્હાપુરમાં દેવદર્શન કરીને ગોવા તરફ જઈ રહ્યું હતું.



Google NewsGoogle News