બોલિવુડ અભિનેત્રી નૂર દાસની ગળાફાંસો ખાઈને આત્મહત્યા

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
બોલિવુડ અભિનેત્રી નૂર દાસની ગળાફાંસો ખાઈને આત્મહત્યા 1 - image


કાજોલની વેબ સિરીઝ 'ધ ટ્રાયલ'ની કો-સ્ટાર હતી

ઓશિવરામાં ફ્લેટમાં કોહવાઈ ગયેલી લાશ મળી, દુર્ગંધ આવ્યા બાદ પડોશીઓએ પોલીસને બોલાવીઃ ડિપ્રેશનમાં હોવાની ચર્ચા

મુંબઇ :   ધ ટ્રાયલ' વેબ સિરીઝમાં કાજોલ સાથે અભિનય કરનારી બોલિવૂડની અભિનેત્રી નૂર માલબિકા દાસે ઓશિવરાના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. નૂરનો કોહવાઈ ગયેલો મૃતદેહ ગળાફાંસો ખાથેલી હાલતમાં મળી આવ્યો હતો. અભિનેત્રી ડિપ્રેશનમાં હતી અને તેની સારવાર ચાલી રહી હોવાનું કહેવાય છે, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું.

પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે 'ઓશિવરામાં લોખંડવાલા મૂર ભાડાના ફ્લેટમાં રહેતી હતી. પાડોશીને ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી આથી પોલીસને જાણ કરી હતી.

પોલીસની ટીમે દરવાજો તોડી નાખ્યો હતો. ફ્લેટમાં તપાસ કરતા નૂરનો મૃતદેહ સિલિંગ ફેન સાથે ગળાફાસો ખાધેલી હાલતમાં હતો. પોલીસે ઘટના સ્થળે ટેબલ અને દોરડું મળી આવ્યું હતું. આ સિવાય સર્ચ ઓપરેશનમાં દવા, મોબાઇલ ફોન, ડાયરી મળી હતી. મૃતક પાસે સ્યુસાઇડ નોટ નહોતી.

પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ગોરેગામની હોસ્પિટલમાં મોકલી દીધો હતો.

ેપોલીસે કહ્યું હતું કે 'અભિનેત્રી નૂર ડિપ્રેશનમાં હતી અને તેની સારવાર ચાલી રહી હતી. તે દવા લઈ રહી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કેે 'અમે અભિનેત્રીના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. એક અઠવાડિયા અગાઉ જ તેઓ પોતાના મૂળ વતનમાં પાછા ગયા હતા.

પોલીસ પરિવારનો સંપર્ક કર્યો હતો, પરંતુ મૃતદેહનો તાબો લેવા કોઈ આગળ આવ્યું નહોતું. છેવટે પોલીસે ગઈ કાલે મમદાની હેલ્થ એન્ડ એજ્યુકેશન  ટ્રસ્ટ એનજીઓના સહયોગથી નૂરની અંતિમવિધી કરી હતી.

આ મામલામાં પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટનો કેસ નોંધ્યો છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

અભિનેત્રીના મિત્ર આલોકનાથ પાઠકે જણાવ્યું હતું કે 'મને આ માહિતી મળતા આઘાત લાગ્યો છે. હું નૂરને ઘણા વર્ષોથી ઓળખતો હતો. અમે અનેક ફિલ્મ અને સિરીઝમાં સાથે કામ કર્યું હતું.

અગાઉ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે ગળાફાંશો ખાઈને જીવન ટૂંકાવી લેતા બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો હતો



Google NewsGoogle News