નવરાત્રિમાં અંધેરી-દહિંસર મેટ્રો રાતના 12 સુધી દોડાવો

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
નવરાત્રિમાં અંધેરી-દહિંસર મેટ્રો રાતના 12 સુધી દોડાવો 1 - image


પશ્ચિમી પરાંઓમાં નવરાત્રિની મહત્તમ ધૂમ

મધરાતે ગરબા રમીને પાછા ફરતા ખેલૈયાઓ માટે નિર્ણય લેવા   અપીલ

 મુંબઈ :  રવિવારથી શરૃ થતા નવરાત્રિ ઉત્સવ દરમ્યાન અંધેરી- દહીંસર વચ્ચેની ૨-એ અને ૭ આ બંને મેટ્રો- રેલની સર્વિસ રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલુ રાખવાની અપીલ રાજ્ય સરકારને કરવામાં આવી છે. 

કાંદિવલીના  ધારાસભ્યએ આ રજૂઆત કરતાં જણાવ્યું છે કે નવરાત્રિમાં રાસ- ગરબા રમવા માટે ખેલૈયાઓ દૂર દૂરના પરાંમાં જાય છે. આ બધાની સગવડ માટે મેટ્રો- રેલની સર્વિસ રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવે તો ઘણો લાભ થાય.

આ વખતે રાસ- ગરબાના વ્યાવસાયિક આયોજનો મુખ્યત્વે અંધેરી અને બોરીવલીના પટ્ટામાં જ થયા છે. દાંડિયા- રાસ પૂરા થયા પછી ઘરે જવા માટે ધસારો થાય ત્યારે ઘણીવાર રિક્ષાઓ મળતી નથી. બીજું મોકાનો લાભ ઊઠાવીને ઘણી વખત રિક્ષાવાળા વધુ ભાડું પડાવતા હોય છે. આને બદલે મેટ્રો- રેલમાં સસ્તા ભાડામાં સલામત પ્રવાસ થઈ શકે છે.



Google NewsGoogle News