દર્શન જરીવાલા સામે આક્ષેપ, ગાંધર્વ વિવાહ બાદ મહિલાને તરછોડી

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
દર્શન જરીવાલા સામે આક્ષેપ, ગાંધર્વ વિવાહ બાદ મહિલાને તરછોડી 1 - image


કોલકત્તામાં પોલીસ ફરિયાદઃ જરીવાલાએ આરોપો નકાર્યા

પોતે 65 વર્ષીય દર્શનના સંતાનની માતા પણ બનવાની હોવાનો મીડિયાકર્મીનો દાવો

મુંબઈ : એક મીડિયાકર્મી મહિલાએ એવો ચોંકાવનારો દાવો કર્યો છે કે પોતે અભિનેતા દર્શન જરીવાલા સાથે ગાંધર્વ વિવાહ કર્યાં હતાં અને હવે તે દર્શનના સંતાનની માતા પણ બનવાની છે. જોકે,  દર્શને પોતાને હવે છોડી દીધી છે તેવા આરોપ સાથે તેણે કોલકત્તામાં પોલીસ ફરિયાદ પણ આપી છે. બીજી તરફ દર્શન જરીવાલા વતી તેમના એડવોકેટે આ તમામ આરોપો ફગાવી દીધા છે. 

ફિલ્મો તથા ટીવી શોના ૬૫ વર્ષીય અભિનેતા દર્શન જરીવાલા સામેના આરોપોથી ખળભળાટ મચી ગયો છે. મીડિયામાં કામ કરતી મહિલાએ ગાંધી માય ફાધર માટે નેશનલ એવોર્ડ જીતી ચુકેલા દર્શન જરીવાલા સામે ગંભીર આક્ષેપો કરતાં કહ્યું છે કે તેના અને દર્શનના ભારતીય પૌરાણિક પદ્ધતિથી ગાંધર્વ  વિવાહ થઈ ચૂક્યાં છે. તે પછી પોતે હવે દર્શનનાં સંતાનને જન્મ આપવાની છે. જોકે, હવે દર્શન તેની તથા તેમનાં સંતાનની જવાબદારી લેવા  તૈયાર નથી.  

આ મહિલાએ કોલકત્તા પોલીસ ઉપરાંત સિને કલાકારોનાં સંગઠન સિનટામાં પણ રજૂઆત કરી છે અને માગણી કરી છે કે દર્શનને એસોસિએશનમાં કોઈ હોદ્દો ન આપવામાં આવે તથા તેનું સભ્યપદ પણ રદ કરવામાં આવે. મીડિયામાં કામ કરતી મહિલાએ આ અંગે એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી છે. 

બીજી તરફ દર્શન જરીવાલા વતી તેમનાં વકીલ સવીના બેદી  સચ્ચરે આ આરોપો ફગાવતાં કહ્યું છે કે દર્શન જરીવાલા બિલકૂલ નિર્દોષ છે. ખોટા આરોપો થકી દર્શન જરીવાલાની પ્રતિƒા ખરડવા  પ્રયાસ થઈ રહ્યો છે. દર્શન જરીવાલા આ મામલે કાનૂની પગલાં ભરશે. 

 ર્શન જરીવાલાનાં અગાઉ ટીવી એકટ્રેસ અપરા મહેતા સાથે લગ્ન થયાં હતાં. જોકે,  બા માં બંને છૂટા પડી ગયાં  હતાં.



Google NewsGoogle News