અક્ષય કુમારની દીકરીને પાળતુ શ્વાને બચકું ભર્યું

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
અક્ષય કુમારની દીકરીને પાળતુ  શ્વાને બચકું ભર્યું 1 - image


રેબીઝ અને ટિટેનસનાં ઈન્જેક્શન લેવાં પડયાં

શ્વાનની  લાકડું ન ગળી જાય તે માટે ભોજનની પ્લેટ ખેંચતાં હાથ પર બચકું ભર્યું

મુંબઇ :  અક્ષય કુમારની ૧૧ વર્ષની દીકરી નિતારાને તેમના પાળતુ શ્વાને બચકું ભરી લીધું હતું. નિતારાને રેબીઝ તથા ટિટેનસનાં ઈન્જેક્શન લેવાં પડયાં હોવાનું તેની માતા ટ્વિન્કલે જણાવ્યું છે. 

ટ્વિન્કલના જણાવ્યા અનુસાર ક્રિસમસ વખતે નિતારા તથા આરવ જમવા બેઠાં હતાં ત્યારે તેમનો શ્વાન ફ્રેડી તેમની પાસે આવ્યો હતો. તે આ ભોજનની ડિશ તરફ ધસ્યો હતો. તે વખતે નિતારાને ચિંતા થઈ હતી કે આ શ્વાન  ખોરાકને શેકવાના સ્કૂઅર્સ તરીકે ઓળખાતી સ્ટીકને ગળી ન જાય. આથી તેણે પ્લેટ  ખેંચી લીધી હતી. જોકે, તેનાથી છંછેડાયેલા શ્વાને નિતારાને હાથ પર બચકું ભરી લીધું હતું. 

ટ્વિન્કલના જણાવ્યા અનુસાર નિતારને ખ્યાલ છે કે ફ્રેડીનો ઈરાદો તેને કરડવાનો ન હતો. આથી, આ ઘટનાને તેણે એક અકસ્માત જ ગણાવ્યો છે અને તેને ફ્રેડી સામે કોઈ ફરિયાદ નથી.



Google NewsGoogle News