અભિનેતા અન્નુ કપૂરના પરિવારે રૃા. 1 કરોડ ગુમાવ્યા

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
અભિનેતા અન્નુ કપૂરના પરિવારે રૃા. 1 કરોડ ગુમાવ્યા 1 - image


વરિષ્ઠ નાગરિકોએ પેન્શનની રકમનું રોકાણ કર્યું

મુંબઇ :  બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અન્નુ કપૂરના પરિવાર સાથે પણ આરોપી અંબર દલાલે અંદાજે રૃા. એક કરોડની છેતરપિંડી કરી છે. 

કપૂરની બિલ્ડીંગમાં જ દલાલ રહેતો હતો. આથી તેમની એકબીજા સાથે ઓળખાણ હતી. મારો પરિવાર જ નહી ઘણા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. એમાં વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ છે. તેમણે જીવનના બચતની રકમનું દલાલ પાસે રોકાણ કર્યું હતું. તે ખૂબ જ દુખદ છે, એમ કપૂરે એક અખબારને જણાવ્યું હતું.

અભિનેતાના પરિવારને રોકાણ પર મહિનાોથી વળતર મળી રહ્યું હતું. પરંતુ આરોપીએ તાજેતરમાં નફો અને રોકાણ કરેલી રકમ પાછી આપી નહોતી. કપૂર ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અન્ય લોકો સાથે છેતરપિંડી કરાઇ હોવાનું કહેવાય છે.

છેતરપિંડીની રકમ અંદાજે રૃા. ૧,૨૦૦ કરોડ હોવાની પણ ચર્ચા થઇ રહી છે. આરોપીની કંપનીના બેંક ખાતામાં માત્ર રૃા. ૫૦ હજાર હોવાનું જાણવા મળ્યું છે. આર્થિક ગુના શાખાએ તેના બેંક ખાતા, આર્થિક વ્યવહાર અને ગુના સંબંદિત જરૃરી તપાસ શરૃ કરી છે.



Google NewsGoogle News