પિતાની શબવાહિની પાછળ જતી કારને અકસ્માતઃ 2 પુત્રી તથા જમાઈનાં મોત

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
પિતાની શબવાહિની પાછળ  જતી કારને અકસ્માતઃ 2 પુત્રી તથા જમાઈનાં મોત 1 - image


કલ્યાણ નજીકના ઠાકુર્લીના પરિવાર પર આભ તૂટી પડયું 

મુંબઈમાં મૃત્યુ પામેલા પિતાના મૃતદેહને અંતિમ વિધિ માટે વતન લઈ જતા હતા, નાસિક પાસે ટ્રક સાથે ટક્કર 

મુંબઇ  :  નાસિકમાં આજે વહેલી સવારે એક કાર પાર્ક કરાયેલા કન્ટેનર ટ્રક સાથે અથડાતા કારમા સવાર ં બે બહેનો સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને એક  તરુણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. કરુણતા એ છે કે પિતાનું નિધન થતાં અંતિમવિધિ માટે તેમના મૃતદેહને શબ વાહિનીમાં લઈ જવાઈ રહ્યો  હતો તેની પાછળ પાછળ જ કારમાં આવી રહેલી બંને પુત્રીઓનાં અકસ્માતમાં મોત થયાં હતાં. 

પ્રાપ્ત વિગત મુજબ, આ  ઘટના આજે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે મુંબઈ- આગ્રા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માલેગાંવ નજીક વેર શિવર ખાતે બની હતી.

આ અકસ્માતમાં  મિનાક્ષી અરુણ હિરે (ઉં.વ. ૫૩), તેની બહેન અનીશા વિકાસ સાવંત (ઉં.વ. ૪૦) અને તેના પતિ વિકાસ ચિંતામન સાવંત (ઉં.વ. ૪૫)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો  અકસ્માતમાં  વૈભવી પ્રવિણ જાધવ (ઉં.વ. ૧૭)ને  ગંભીર  ઈજાઆ ે પહોંચી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.

આ ત્રણેય મૃતકો  કલ્યાણ નજીકના  ઠાકુર્લીના રહેવાસી હતા.  બે બહેનો ં મીનાક્ષી અને અનીશા ના પિતાના ે  નિમગાવના રહેવાસી હતા તેઓ મુંબઈમાં મૃત્યુ પામ્યા હતા.  પિતાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે શબવાહીનીમાં  નિમગાંવ લાવવામાં આવી રહ્યો હતો. આ શબવાહીની પાછળ તેનો  જમાઈ વિકાસ સાવંત કાર ચલાવીને જઈ  રહ્યો હતો.   જેમાં  મિનાક્ષી, અનીશા અને  અન્ય એક  સંબંધીની પુત્રી વૈભવી સવાર હતા. આ સમયે  તેમની કાર માલેગાંવના વાકે ફાટા પાસે રોડ કિનારે ઉભેલી કન્ટેનર ટ્રક સાથે અથડાયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ નાશ પામ્યો હતો. 

માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.  આ અંગે માલેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.



Google NewsGoogle News