અભિષેક કપૂર પોતાની નશા મુક્તિ પર 'શરાબી' બનાવશે

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
અભિષેક કપૂર પોતાની નશા મુક્તિ પર 'શરાબી' બનાવશે 1 - image


4 વર્ષથી શરાબને હાથ લગાડયો નથી

કાઈપો છે જેવી ફિલ્માના ડાયરેક્ટરે શરાબને કારણે અનેક તકો ગુમાવ્યાનું કબૂલ્યું

મુંબઇ : કાઈપો છે', રોક ઓન' તથા કેદારનાથ' જેવી ફિલ્મોના સર્જક અભિષેક કપૂરે શરાબી' નામની નવી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મ તેના ખુના શરાબ છોડવાના અનુભવો આધારિત હોવાનું કહેવાય છે.

અભિષેક કપૂરના જણાવ્યા અનુસાર તેણે ચાર વર્ષથી શરાબને હાથ લગાડયો નથી. અભિષેકે કબૂલ્યું હતું કે પોતાની શરાબની લતના કારણે તેના અનેક સંબંધોમાં તિરાડ પડી હતી અને તેણે ફિલ્મ લાઈનમાં અનેક તકો પણ ગુમાવી દીધી હતી. આખરે તેણે શરાબને તિલાંજલિ આપવાનો જિંદગીનો સૌથી અઘરો નિર્ણય કર્યો હતો.

જોકે, ફિલ્મની કાસ્ટ વિશે હજુ વિગતો મળી નથી.

અભિષેક કપૂર હાલ રવિના ટંડનની દીકરી રાશા તથા અજય દેવગણના ભાણેજ અમનને લઈને એક એક્શન ફિલ્મ પણ બનાવી રહ્યો છે. આ ફિલ્મનું ટાઈટલ હજુ સુધી જાહેર કરાયુ ંનથી.


Google NewsGoogle News